પોરબંદરમાં શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર દ્વારા પુરપીડિતો માટે સેવાભક્તિ યોજાઈ

  • August 31, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના મુખ્ય શ્રી સ્વામીનારાયણ મંદિરના હરિભક્તોએ પુરઅસરગ્રસ્તોને ફુડ પેકેટનું વિતરણ કર્યું હતુ.
પોરબંદરના શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની આગવી ઓળખ સેવા ભક્તિને શિરોમાન્ય ધારી પોરબંદર વિસ્તારના પુર અસરગ્રસ્ત નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર ફુડ પેકેટસનું વિતરણ સંનિષ્ઠ, સેવાભાવી અને સમર્પિત હરિભક્તોએ ‚બ‚ જઈ હેન્ડ ટુ હેન્ડ ભાવપુર્વક અર્પણ કરી કૃતાર્થ થયાં હતા.સંપ્રદાયનાં મુર્ધન્ય,બ્રહ્મ નિષ્ઠ સદગુ‚,પ.પુ.શ્રી નીલકંઠચરણ દાસજી (શ્રી સ્વામિનારાયણ મંદિર, તિર્થધામ ગાદી સ્થાન, જેતપુર નાં મહંત )ની પ્રેરણા અને આજ્ઞાથી દાતાના  સહયોગથી ફુડ પેકેટસ બનાવી  પુર અસરગ્રસ્તોને પહોંચતા કરવામાં આવ્યા હતા.મોડી રાત્રી સુધી પોતપોતાના કામ ધંધા છોડીને માત્ર શ્રીજી મહારાજનો રાજીપો મેળવવા જ સંનિષ્ઠ હરિભક્તોમાં પુજારી હરજીભાઇ મહેતા,વનરાજસિંહ જાડેજા, તુષારભાઈ જોશી, ભગવાનજીભાઈ જોષી,લીલાભાઈ દવે, અલ્પેશ દવે, કમલેશભાઈ દવે, દેવ દવે, જય દવે, હિતેષભાઇ મકવાણા, પ્રકાશભાઈ રાઠોડ, હેનિશ દવે, રમેશભાઈ મહેતા,રાજ મહેતા, ઘનશ્યામભાઈ મહેતા, નરેન્દ્રભાઈ મહેતા, મેઘરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘેલા,દેવાંશ દવે, પિયુષ ખુંટી, યોગેશ મહેતા,મિલાપ દવે વગેરેએ જહેમત ઉઠાવી હતી.ફુડ પેકેટ્સના વિતરણ માટે વનરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ મહેતા, રાજનભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ મહેતા, રાજ મહેતા,કનુભાઈ ધોળકિયા વગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application