જામનગરથી માટેલ જતા પદયાત્રીઓના સંઘ માટે સેવા કેમ્પ

  • April 19, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જામનગર થી માટેલ જતા પદયાત્રીઓ ના સંઘ માટે તારીખ 13 થી 15 દરમિયાન વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ, મેડિકલ કેમ્પ તેમજ છાસ, પાણી ની બોટલ સહિતની વસ્તુઓ વિતરણ કરવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રી દરમિયાન જામનગરથી માટેલ  પદયાત્રીઓના સંઘ રવાના થાય છે. તેમની સેવામાં છેલ્લા ૨૩ વર્ષથી સતત શ્રી શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જુદી-જુદી જગ્યાએ જરૂરી મેડીકલ કેમ્પ તથા નાઇટ હોલ્ટ (આરામ કરવાની સુવિધા) છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણના સેવા કેમ્પ રાખવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૩ થી ૧૫ દરમ્યાન સોયલ ટોલનાકા, લતિપર તથા પંચાસિયા ગામ ખાતે મેડિકલ કેમ્પ, છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણ તથા રાત્રિ રોકાણ સહિતની સેવા પૂરી પાડવામાં આવી હતી.

આ સેવા કેમ્પ માં શુભ લક્ષ્મી ગ્રુપના અશોકભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, સુરેશભાઈ સોલંકી, કિશોરભાઈ પરમાર, રમણીકભાઈ બારડ, જીગ્નેશભાઈ ઝાલા, મનીષભાઈ બારડ, હર્ષદભાઈ કંચવા, દિલીપભાઈ કંચવા, કપિલભાઈ ચાવડા, હિતેશભાઈ ચૌહાણ, દીપકભાઈ ચુડાસમા, રાજુભાઈ ભટ્ટી, અશોકભાઈ મકવાણા, ભીખાભાઈ,  આનંદ પરમાર, જીતુ ડાડા સહિતના દ્વારા સેવા આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application