કોંગી કોર્પોરેટર દ્વારા ધરણાની ચીમકી
જામનગર શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા દિનપ્રતિદિન કથળતી જાય છે, અને તેના કારણે શહેરના નાગરિકોની સુખાકારી જોખમાઈ રહી છે. તાજેતરમાં કાલાવડ નાકા બહારના પુરબિયાની ખડકી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગટરો ઉભરાઈ જવાની ઘટનાએ આ સમસ્યાને વધુ ઉગ્ર બનાવી છે. સ્થાનિક કોંગી કોર્પોરેટર અસલમ ખીલજીએ આ ઘટનાને ગંભીર ગણાવીને આક્ષેપ કર્યો છે કે ભૂગર્ભ ગટર વ્યવસ્થામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, અને તેના કારણે જ ગટર વ્યવસ્થા કાર્યક્ષમ રીતે કામ કરતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે ૨૦૧૫-૧૬ માં બનેલી આ ગટર વ્યવસ્થામાં ગુણવત્તાહીન કામગીરી કરવામાં આવી હતી, અને તેની સફાઈ પણ નિયમિત થતી નથી. પરિણામે રિવરફ્રન્ટ વિસ્તારના લોકોના ઘરોનું ગંદુ પાણી સીધું નદીમાં જાય છે. આના કારણે નદીનું પાણી પ્રદૂષિત થાય છે અને લોકોના આરોગ્યને જોખમમાં મુકાય છે. ખીલજીએ ગંભીર આક્ષેપ કર્યો કે ભૂગર્ભ ગટર શાખા ભ્રષ્ટાચારની શાખા બની ગઈ છે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યું કે ભૂગર્ભ ગટર બનાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં ગટર વ્યવસ્થાની સ્થિતિ દયનીય છે. ખીલજીએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો તેઓ કમિશનરની ચેમ્બર સામે ધરણા કરશે. તેમણે આ મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિજિટલ ગુજરાત: ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
October 03, 2024 08:29 PMરાજ્યમાં 1903 સ્ટાફ નર્સની કરાશે ભરતી, સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે
October 03, 2024 08:27 PMરાજકોટ- આર.ટી.ઓ. ખાતે આવતીકાલે વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક રહેશે બંધ
October 03, 2024 08:10 PMકોંગ્રેસમાં જોડાતા જ અશોક તંવરે ભાજપનું ટેન્શન વધાર્યું
October 03, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech