બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા યુપીએસસી/જીપીએસસીની પરીક્ષા માટે સેમીનાર

  • April 27, 2024 10:56 AM 

યુપીએસસી સિલેક્ટેડ-2023 આકાશ ચાવડાનો સન્માન સમારંભ


આજ રોજ તારીખ 24/04/24 ના રોજ ડૉ. આંબેડકર ભવન જામનગર ખાતે જીપીએસસી/યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે ના સેમિનાર નું આયોજન બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા કરવા માં આવેલું હતું.


સન્માન:

આકાશભાઈ ચાવડા જેમને હાલ માં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરેલ છે તેવો ના સન્માન માટે જામનગર ના અનેક નામાંકિત વ્યક્તિઓ વિધાર્થીઓ કર્મચારીઓ અને વિધાર્થીઓ ના માતા પિતા ઉપસ્થિત રહી સાહેબ ને બહુમાન આપેલું હતું જેમાં જામનગર જિલ્લા સિવાય ના અન્ય જિલ્લા માંથી અલગ અલગ જ્ઞાતિ અને સમાજ ના આગેવાનો પણ સાહેબ ને શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં દરેક વ્યક્તિ  ઓ પર્સનલી સાહેબ ને મળી શુભેચ્છા પાઠવેલી હતી જામનગર ના અન્ય સંગઠનો ઓ એ પણ સાહેબ ને સન્માનતી કરવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી વધુ ઉત્સાહ વિધાર્થીઓ માં જોવા મળેલો હતો ત્યાર બાદ બોધિસત્વ ટ્રસ્ટ જામનગર ટ્રસ્ટીઓ તથા મેનેજમેન્ટ ટિમ દ્વારા સાહેબ ને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.


સેમિનાર:

સમાજ ને નવી દિશા કહ્યે કે દૃષ્ટિકોણ કે નવી આખો ના પ્રયત્ન ના ભાગરૂપે આ સેમિનાર નું આયોજન કરવા માં આવેલું હતું સમાજમાં જીપીએસસી/યુપીએસસી પાસ કરવા એ બાબત સહેલી અને સામાન્ય બનવી જોઈએ સાથે આવી પરીક્ષા ઓ માં વિધાર્થીઓ નિયમિત સફળ થતા રહે તે ઉદેશ થી આકાશ સાહેબ દ્વારા વિધાર્થીઓ ને પોતે કરેલી તૈયારી અંગે માહિતગાર કરેલા હતા જેમાં ક્યાં પુસ્તકો માંથી તૈયારી કરવી કેટલો સમય વાંચન કરવું કઈ પદ્ધતિ થી વાંચન કરવું જેવી તૈયારી માટે ની અનેક પ્રકાર ની નાની નાની બાબતો વિશે માહિતી આપવા માં આવેલી હતી સેમિનાર ના અંતે વિધાર્થીઓ માટે પ્રસનોતરી સેસન રાખવા માં આવેલું હતું જેમાં વિધાર્થીઓ એ તેમને મુંઝવતા પ્રશ્નો આકાશ સાહેબ સામે રજૂ કરેલા હતા જેના જવાબ વિસ્તાર પૂર્વક અને સમજાય તેવી સરળ પદ્ધતિ માં સાહેબે જવાબો આપેલા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application