ગૃહ મંત્રાલયે સંસદભવનની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે આગામી સત્ર એટલે કે ૩૧મી જાન્યુઆરીથી સીઆઈએસએફના જવાનોને સાંસદોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.લોકસભાની સુરક્ષામાં ક્ષતિના મામલા બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, આગામી બજેટ સત્ર પહેલા સંસદની સુરક્ષા માટે ૧૪૦ સીઆઈએસએફ જવાનોને તૈનાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. જૂની અને નવી સંસદની બંને ઇમારતોની સુરક્ષા સીઆઈએસએફને સોંપવામાં આવી છે. તે જ સમયે, વર્તમાન સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને સીઆરપીએફના સંસદીય ફરજ જૂથને પણ સંસદ સંકુલમાં તૈનાત કરવામાં આવશે.મુખ્ય દ્રાર પર સીઆઈએસએફ તૈનાત રહેશે
બહાર આવેલી માહિતી અનુસાર, બંને ગૃહો ના દરવાજા પર સીઆઈએસએફના જવાનો તૈનાત રહેશે. સીઆઈએસએફ મુલાકાતીઓની સુરક્ષા અને તપાસ પણ કરશે. અગાઉ, દિલ્હી પોલીસ અને ગૃહ સુરક્ષા સેવાના કર્મચારીઓ ગૃહના ગેટ પર ફરજ પર રહેતા હતા.તે વ્યકિત દર્શક પ્લેટફોર્મ પરથી નીચે કૂદી ગયો હતો
નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે ૧૩ ડિસેમ્બરે લોકસભાની સુરક્ષામાં ભંગની ઘટનાને લઈને આ મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, શિયાળુ સત્ર દરમિયાન, એક યુવક પ્રેક્ષક ગેલેરીમાંથી નીચે કૂદી ગયો અને રંગીન ગેસ છોડવા લાગ્યો. જે બાદ ત્યાં હાજર સાંસદોમાં હંગામો થયો હતો. આ દરમિયાન કેટલાક સાંસદોએ હિંમત બતાવી આરોપીઓને પકડી પાડા હતા. તે જ સમયે આરોપીઓના બે સહયોગીઓ સંસદ ભવન બહાર સરકાર વિદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech