સરકારી જી.જી. હોસ્પિટલ માં દૈનિક તાવના દાખલ થઈ રહેલા દર્દીઓ પૈકી ૩૦-૩૫ ડેન્ગ્યુના...
જામનગર શહેર અને જિલ્લામાં મોસમેં મિજાજ બદલ્યો છે, અને પરોઢે શિયાળા, દિવસે ઉનાળા અને સાંજે ચોમાસા જેવી મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને અનુલક્ષીને જી. જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં ૫૦ બેડનો એક વધારાનો વોર્ડ ગઈકાલે તા. ૨૧થી ચાલુ કરવામાં આવ્યો છે.
જામનગરના શહેરી વિસ્તાર ની વાત કરીએ તો ૧૨ અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. તેથી ૧૨ યુએચસી હેઠળ આવતા વિસ્તારોમાં કોર્પોરેશનની ટીમો ડોર- ટુ-ડોર કામગીરી કરી રહી છે.
વિતેલા દિવસોમાં તંત્રને તાવના મળી આવેલા ૩૦૦થી વધુ કેસોમાં તેઓના બ્લડ સેમ્પલ લઈને તાવની ચકાસણી કરવામાં આવી હતી. આ જ રીતે જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિસીન વિભાગમાં દૈનિક ૩૦૦થી વધુ દર્દીઓની ઓપીડી રહેવા પામે છે. જેમાંથી રોજ ૧૦૬ થી ૧૨૦ ની સરેરાશમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. જેપૈકી રોજ ૩૦-૩૫ દર્દીઓ ડેન્ગ્યુના અને બાકીના ઋતુજન્ય તાવ અને શરદી-તાવના દર્દીઓ હોય છે.
આ ઉપરાંત બાળકોમાં પણ ઋતુજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ દૈનિક મોટા પ્રમાણમાં શરદી-તાવની ફરિયાદ સાથે વાલીઓ બાળકોને હોસ્પિટલમાં લાવે છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા ૫૦ બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech