નાઈજીરીયામાં એક શાળાની ઈમારત ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં બની જ્યારે બાળકો વર્ગમાં હતા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમને કાટમાળ નીચે ફસાયેલા 100થી વધુ લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હજુ તો વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા જ હતા કે આ દુર્ઘટના બની હતી. 100થી વધુ બાળકો કાટમાળ હેઠળ દટાયા હતા. જેમને તાબડતોબ બહર લાવી સારવાર માટે ખસેડાયા હતા.મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઉંમર 15 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ 154 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હતા, પરંતુ તેમાંથી 132ને બચાવી લેવાયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કોઈપણ દસ્તાવેજ કે પુરાવા વગર જ સારવાર શરૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી.
નાઈજીરીયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષા દળોને અકસ્માતના સ્થળે તૈનાત કયર્િ હતા. નાઇજિરિયન સરકારે ઝડપી તબીબી ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને તાકીદ કરી હતી.સરકારે આ દુ:ખદ દુર્ઘટના માટે શાળાના નબળા માળખા અને નદી કિનારે તેનું સ્થાન જવાબદાર ઠેરવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech