જામનગરમાં પીએસઇ અને એસએસઇની સ્કોલરશીપ પરીક્ષા લેવાઈ

  • April 29, 2024 10:44 AM 

જામનગરમાં ૯૯૩ પરીક્ષાર્થીઓ ગેરહાજર


રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા અયોજીત  પી.એસ.ઇ અને એસ એસ ઇ .ની સ્કોલરશીપ પરીક્ષા આજે લેવા મા આવી હતી. જામનગર મા ૫૫૪૦ પરિકક્ષાર્થીઓ એ શાંતિપૂર્ણ માહોલ મા પરીક્ષા આપી હતી.


રાજ્ય નાં પરીક્ષા બોર્ડ દ્વારા આજ રોજ પી એસ ઇ અને એસ એ ઇ ની સ્કોલરશીપ પરીક્ષા લેવા મા આવી હતી.જે શહેર ની અલગ અલગ સકુલમાં લેવાઈ હતી.   ગુ.શા.મહેતા ગર્લ્સ સ્કૂલ મા  પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ને આવકાર આપવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ ,  શિક્ષક સંઘ ના પ્રમુખ  ચંદ્રકાંત ખાખરીયા, શિક્ષક સંઘના હોદેદારો  સંજયભાઈ મેશિયા ,  હેતલબેન પંચમતિયા, પ્રિન્સિપાલ  હીનાબેન તન્ના શિક્ષક સંઘ ના ખજાનચી  દિપકભાઈ ગલાની ,  હેતલબેન શિરા ,પ્રીતિબેન જગડ ,સહિત આચાર્ય  અને શિક્ષકો હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.


જામનગરમાં પી એસ ઈ માં ૫૪૮૯  વિદ્યાર્થી નોંધાયા હતા, તેમાંથી ૪૬૦૯ અને ૮૮૦  વિદ્યાર્થી ગેર હાજર  રહયા હતા.જયારે એસ એસ ઇ ની પરીક્ષા મા કુલ ૧૦૪૪ માંથી ૯૩૧ હાજર અને ૧૧૩ પરિક્ષાર્થીઓ  ગેર હાજર રહયા હતા. આમ આજની પરીક્ષામાં કુલ ૬૫૩૩ માંથી  ૫૫૪૦ હાજર અને  ૯૯૩ પરિક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application