ઠોયાણાના બસ સ્ટેન્ડથી નકલંકધામ સુધી સ્ટ્રીટલાઈટના પથરાયા અજવાળા

  • October 05, 2024 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના ઠોયાણાના બસ સ્ટેન્ડથી નકલંકધામ સુધી સ્ટ્રીટલાઈટના અજવાળા પથરાયા છે.
હાલ ગુજરાતના ત્રણ હજાર જેટલા ગામોમાં બે-ત્રણ વર્ષથી સરપંચની ચુંટણી થયેલ નથી,રાણાવાવ તાલુકાના પણ ત્રણ ગામ એવા છે,જયા હજી સુધી સરપંચની ચુંટણી થયેલ નથી. હાલ ઠોયાણામાં વહીવટી નિમેલા છે.ત્યારે ઠોયાણા ગામે સ્ટ્રીટલાઈટ બાબતે અગાવ પંચાયતને મૌખિક અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી પણ કોઈએ ધ્યાન આપ્યું નહિ.ત્યારે ઓગસ્ટ મહિનામાં આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર  જિલ્લા  વિકાસ અધિકારીને લેખિતમાં આવેદન પાઠવી સ્ટ્રીટલાઈટ કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલા નાખવા પ્રદેશ ઉપાધ્યક્ષ (આપ કિસાન ) મે‚ભાઇ ઓડેદરા દ્વારા આવેદન આપી વિનંતી કરવામાં આવી હતી અને હાલ નવરાત્રી પુર્વે ઠોયાણા બસ સ્ટેન્ડથી નકલંકધામ સુધી અંજવાળા થતા લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application