બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં 79 સગીર સહિત લગભગ 600 લોકોને નોકરી આપવવાના બહાને બંધક બનાવી લેવામાં આવ્યા હતા, આ બંધકોમાં 79 સ્ગીરનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સતર્ક બની ગઈ હતી અને તમામને મુક્ત કરાવ્યા હતા તેમજ 3 ખંડણીખોરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે આ લોકો કથિત રીતે યુવાનો અને સગીરોને નકલી નોકરીઓની લાલચ આપીને બંધક બનાવતા હતા અને તેમના પરિવારો પાસેથી પૈસા પડાવતા હતા.
પૂર્વ ચંપારણ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક ગુપ્ત માહિતીના આધારે, પોલીસે જિલ્લાના રક્સૌલ ખાતે સ્થિત ખાનગી કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો અને પરિસરમાંથી 495 યુવાનો અને 79 સગીર છોકરાઓને બચાવ્યા હતા.પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને ફરિયાદમાં નામ આપવામાં આવેલા 17 ફરાર આરોપીઓની શોધ શરૂ કરી છે.
પીડિતોના માતા-પિતા પાસેથી ૧૫-૨૦ હજાર રૂપિયા પડાવાતા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કંપની લોકોને નોકરીનું વચન આપીને મહિનાઓ સુધી બંધક બનાવતી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'કંપની સાથે સંકળાયેલા લોકોએ પીડિતોના માતા-પિતા પાસેથી ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ રૂપિયાની ઉઘરાણી પણ કરી હતી.' તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ દ્વારા પીડિતોને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બચાવેલા તમામ 79 સગીર છોકરાઓને પૂર્વ ચંપારણના જિલ્લા મુખ્યાલય મોતીહારીની બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવ્યા હતા.
પોલીસેની ત્વરિત કાર્યવાહી
મોતીહારીના પોલીસ અધિક્ષક સ્વર્ણ પ્રભાતે જણાવ્યું હતું કે મોતીહારી જિલ્લાના રક્સૌલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ડીબીઆર ગ્રુપ દ્વારા છોકરાઓને નોકરી આપવાના બહાને બંધક બનાવવામાં આવ્યા હતા. છોકરાઓના પરિવારોને નોકરી આપવાના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા. બાળકના માતા-પિતા તરફથી વોટ્સએપ દ્વારા ઘટનાની માહિતી મળતાની સાથે જ મોતીહારી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી રક્સૌલના નેતૃત્વમાં ડીબીઆર ગ્રુપ પર દરોડા દરમિયાન બાળકોને ત્યાંથી મુક્ત કરાવવામાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech