જસદણના શિવરાજપુર ગામે દલાલો દ્વારા પુખ્તવયની દીકરીઓને રૂપિયાની લાલચે વેંચી નાખવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની શિવરાજપુર ગામે રહેતા નિશાદભાઈ ભીમજીભાઈ રાઠોડ નામના યુવાન દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જસદણના શિવરાજપુર ગામે દલિતવાસમાં રહેતી ગરીબ માં-બાપની દીકરીઓને ભગાડી જવાના અવારનવાર બનાવો બની રહ્યા છે. અમારા શિવરાજપુર ગામના દલિતવાસમાં ગત વર્ષે ગરીબ ઘરની દીકરીને કોઈ અજાણ્યો વ્યક્તિ ભગાડીને લઈ ગયો હતો અને થોડા દિવસો બાદ તેની લાશ મળી આવી હતી. અમારા દલિતવાસની દીકરીઓ સાથે અવારનવાર આવા ભયંકર બનાવો બની રહ્યા છે.
જેમાં ગરીબ ઘરમાં રહેતી અને ગરીબ માં-બાપની દીકરીઓને નરાધમ દલાલો સુખ-સમૃદ્ધિના સપ્=ના બતાવી અને પહેલા વિશ્વાસ ઉભો કરે છે. બાદમાં સામેના આસામી સાથે આવી ગરીબ ઘરના માં-બાપ્\ની દીકરીઓને લાખો રૂપિયામાં વેંચી દેવામાં આવે છે. લાખો રૂપિયાની લાલચે ગરીબ ઘરની દીકરીઓનો વેપલો કરનાર નરાધમ દલાલો દીકરા પક્ષ પાસેથી કોર્ટમાં લગ્ન કરી આપવાની શરતે લાખો રૂપિયા લઈ ગરીબ ઘરની દીકરીઓને ભગાડવાનો વેપલો કરે છે. દીકરીઓને ભગાડનાર દલાલો બોલવામાં હોશિયાર અને ચતુર હોય છે. જેથી મને બીક છે કે મારી ગરીબડી બહેન વનિતાબેન ભીમજીભાઈ રાઠોડ(ઉ.વ.21) સાથે ઘણા લોકો બળાત્કાર ગુજારતા તો નહી હોય ને? જેની મને શંકા છે. મારી બહેન વનિતા અમારા ઘરેથી ગત તા.18-10-2024 ના સાંજના 5 થી 6 વાગ્યા આસપાસથી ગુમ થયેલ છે અને શિવરાજપુર ગામે દલિતવાસમાં રહેતા વષર્બિેન રાજુભાઈ પરમાર, દિપક રાજુભાઈ પરમાર, રાજુ હીરાભાઈ પરમાર, ગોવિંદ જેઠાભાઈ પરમાર અને વાલજી દેહાભાઈ પરમાર નામના વ્યક્તિઓએ ભગાડી મૂકી હોય તેવી અમને શંકા છે તેમજ મારી બહેન ક્યાં છે તેઓ જાણતા હોય તેવું અમને લાગે છે. કારણ કે મારી બહેન આ લોકોના સંપર્કમાં હતી અને ગત તા.18-10-2024 ના સાંજે 5 થી 6 વાગ્યાના અરસામાં ગુમ થયેલ છે. મારી બહેન ગુમ થયા બાદ ઉપરોક્ત વ્યક્તિઓ સુમસામ રહી પોતાના ઘરમાંથી બહાર પણ નીકળતા નથી. અમારા દલિતવાસમાં દેકારો થવા છતાં ઉપર મુજબના શંકાસ્પદ વ્યક્તિઓ મૌન સેવીને બેઠા હતા. આ બનાવના બીજા દિવસે એટલે કે તા.19-10-2024 ના રોજ શિવરાજપુર ગામેથી વષર્બિેન રાજુભાઈ પરમાર અને રાજુ હીરાભાઈ પરમાર બન્ને મજુરી કરવાના બહાને રાજકોટ ભાગી ગયા છે. જેથી અમને 100 ટકા શંકા છે કે મારી બહેનને તેના કોઈ સગા-વ્હાલામાં જ વેંચી નાખેલ છે. વષર્બિેન રાજુભાઈ પરમાર પહેલાથી જ આ બાબતમાં પ્રખ્યાત છે અને તેનો પતિ રાજુ પરમાર પણ તેની પત્નીના ટેકામાં છે. જેથી ઉપર મુજબના વ્યક્તિઓ દ્વારા મારી બહેનને રૂપિયા લઈને વેંચી નાખવામાં આવેલ છે તેવી અમને શંકા છે. આ પાંચેય વ્યક્તિઓના સગા-વ્હાલાઓ દ્વારા જ મારી બહેનને લગ્નની લાલચે છુપાવવામાં આવેલ હોય તેવી અમને શંકા છે. આ લોકો દીકરીઓને ભગાડીને વેચવાના ધંધા જ કરે છે. પહેલા આ લોકો સગા-વ્હાલામાં દીકરીઓને છુપાવી દે છે અને પછી ન માને તો દીકરીઓને બારોબાર વેંચી મારે છે. જેથી ઉપરોક્ત તમામ લોકોની જસદણ પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા ગરીબ માવતરના દીકરાની ફરિયાદ છે તેવી જસદણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
શિવરાજપૂરમાં 3 વર્ષમાં પાંચ દીકરીને ભગાડી જવાઇ
દલિતવાસમાંથી છેલ્લ ા ત્રણ વર્ષ ઉપરાંતના સમયમાં પાંચ દીકરીઓને વષર્બિેન રાજુભાઈ પરમાર, દિપક રાજુભાઈ પરમાર, રાજુ હીરાભાઈ પરમાર, ગોવિંદ જેઠાભાઈ પરમાર અને વાલજી દેહાભાઈ પરમાર નામના દલાલો લાખો રૂપિયાની લાલચે દીકરા પક્ષ પાસેથી દીકરીનાકોર્ટમાં લગ્ન કરી આપવાની શરતે લાખો રૂપિયા લઈ ગરીબ ઘરની દીકરીઓને ભગાડવાનો વેપલો કરે છે. જેથી આ નરાધમોની જસદણ પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગરીબ માવતરના દીકરાની ફરિયાદ હોવાનું જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech