પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કલમ 370ને લઈને નિવેદન આપ્યું છે. ખ્વાજા આસિફે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની પુનઃસ્થાપના પર પાકિસ્તાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સાથે છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભાજપે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધન પર પ્રહારો કર્યા છે.
અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, "પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કલમ 370 અને 35A પર કોંગ્રેસ અને JKNCને આપેલા સમર્થનથી ફરી એકવાર કોંગ્રેસનો પર્દાફાશ થયો છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા પણ એક જ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી તમામ ભારત વિરોધી શક્તિઓ સાથે ઉભા છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, "હવાઈ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવાની હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવાની હોય રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ પેજ પર રહ્યા છે અને કોંગ્રેસનો હાથ હંમેશા વિરોધીઓ સાથે રહ્યો છે."
પરંતુ કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ 370 પાછી આવવાની છે કે ન તો આતંકવાદ."
આખો મામલો શું છે?
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાનના જિયો ન્યૂઝ પર હામિદ મીરની રાજધાની ટોકમાં હાજર રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા પર એકમત છે.
તેમણે કહ્યું કે બિલકુલ, અમારી માંગ પણ એક જ છે. કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવાના મુદ્દે પાકિસ્તાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનની સાથે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન મંત્રીએ જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMમાધવપુરમાં ૨–મેએ ગેરકાયદે બાંધકામો પર તંત્ર બૂલડોઝર ફેરવશે
April 30, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech