ધારાસભ્ય ફતેસિંહ સામે સાવરકુંડલા રઘુવંશી અગ્રણીઙ્ગો ભારે આક્રોશ

  • February 10, 2024 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘનશ્યામ મશરૂ એક લેખીત નિવેદનમાં જણાવે છે કે, કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના ખોટા બફાટ  નિવેદનથી ગુજરાતના નહીં પરંતુ વિશ્વના સંત શ્રી જલારામ બાપાના ભક્તજનોની લાગણીને ઠેસ પહોંચી છે ધારા સભ્ય ફતેસિંહ ચૌહાણએ જલારામ બાપાના વીરપુર પવિત્ર ધામમાં આવી બાપાની સમક્ષ જ માફી માગવી જોઈએ સોફા પર બેસીને  માફી ન મંગાય અને હિન્દુ્ત્વ પ્રમાણે હાથ જોડીને બાપાના ચરણોમાં માફી મંગાય પણ આ ધારા સભ્ય ખાલી માફીનો ડોળ જ કરે છે આટલા આવેદનપત્રો આપ્યા પરંતુ કહેવાતી હિન્દુવાદી સરકારના પેટનું પાણી જો ના હલતું હોય તો હવે અમને બીજો કોઈ વિકલ્પ ના દેખાતા તેમની વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરાવીશું અને ફરિયાદ ઙ્કછી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીઆવે તો સરકારની મંજૂરી સાથે અનશન કરીશું ત્યારબાદ પડનારા પડઘાઓ ના જવાબદાર માત્ર ફતેસિંહ ચૌહાણ જ રહેશે. તેમ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application