રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર અને દિલ્હી ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં દિલ્હીની ટીમે પહેલી ઇનિંગમાં 188 રન બનાવ્યા હતા. બાદમાં સૌરાષ્ટ્રની ટીમે પહેલી ઇનિંગમાં 271 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ બીજી ઇનિંગમાં 94 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આથી સૌરાષ્ટ્રની ટીમને 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે એક પણ વિકેટે ગુમાવ્યા વગર બનાવી નાખતા ભવ્ય જીત મળી હતી. આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ બે ઇનિંગમાં 12 વિકેટ મેળવી હતી.
દિલ્હીની ટીમ પ્રથમ ઇનિંગમાં 188 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન યશ ધુલએ 44 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. મયંક ગુસૈને ૩૮ રનની અણનમ ઇનિંગ રમી હતી. બીજી ઇનિંગમાં ટીમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તે ૯૪ રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં કેપ્ટન આયુષ બદોનીએ 44 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંત 17 રન બનાવીને આઉટ થયો હતો.
સૌરાષ્ટ્રએ દિલ્હી સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થતાં પહેલા 271 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્વિક દેસાઈએ 93 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. અર્પિતે 62 રન બનાવ્યા હતા. આ પછી, સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં ફક્ત 15 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમે આ મેચ 10 વિકેટથી જીતી હતી.
જાડેજા હિટ થયો અને પંત ફ્લોપ ગયો
સૌરાષ્ટ્રના ખેલાડી રવીન્દ્ર જાડેજા હિટ રહ્યો. દિલ્હીની પહેલી ઇનિંગ દરમિયાન તેણે 5 વિકેટ લીધી હતી. તેણે ૧૭.૪ ઓવરમાં ૬૬ રન આપ્યા હતા. તેણે બીજી ઇનિંગમાં પણ ઘાતક બોલિંગ કરી અને 7 વિકેટ લીધી હતી. આ સાથે, તેણે સૌરાષ્ટ્રની પહેલી ઇનિંગ દરમિયાન 38 રન પણ બનાવ્યા હતા. પરંતુ દિલ્હીનો ખેલાડી પંત કંઈ ખાસ કરી શક્યો નહીં. પહેલી ઇનિંગમાં 1 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને તે આઉટ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech