સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને તેમની હત્યાનો ભય છે. આ ખુલાસો બીજા કોઈએ નહીં પણ ખુદ મોહમ્મદ બિલ સલમાને કર્યો છે. વાસ્તવમાં, સાઉદી ક્રાઉન પ્રિન્સને ડર છે કે જો તેઓ ઇઝરાયેલ, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે સંભવિત ડીલ પર આગળ વધશે, તો તેમની હત્યા થઈ શકે છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સે આ અંગે વ્યક્ત કર્યો હતો ભય
અહેવાલ મુજબ, અમેરિકન અધિકારીઓએ ઈઝરાયેલ-સાઉદી અરેબિયા-અમેરિકા વચ્ચે સંભવિત ડીલને લઈને મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન જ સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે, જો તેઓ આ ડીલ પર આગળ વધશે તો તેમની હત્યા પણ થઈ શકે છે. આના પર, જ્યારે અમેરિકન અધિકારીઓએ કથિત રીતે તેમની સુરક્ષાની ખાતરી આપી. ત્યારે મોહમ્મદ બિન સલમાને અમેરિકન અધિકારીઓને પૂછ્યું કે, જ્યારે 1981માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારે અમેરિકાએ શું કર્યું? જો કે, અહેવાલ મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સે સંભવિત જોખમ હોવા છતાં ડીલ આગળ વધારવાની ખાતરી આપી કારણ કે કરાર તેમના દેશના ભવિષ્યના હિતમાં છે.
કરાર હેઠળ સાઉદી અરેબિયાને મળશે આ લાભ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરાર હેઠળ અમેરિકા સાઉદી અરેબિયાની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને અમેરિકા સાઉદી અરેબિયાના નાગરિક પરમાણુ કાર્યક્રમમાં પણ મદદ કરશે. કરાર હેઠળ અમેરિકા સાઉદી અરેબિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે પણ રોકાણ કરશે. તેના બદલામાં સાઉદી અરેબિયાએ ચીન સાથેના સંબંધો મર્યાદિત કરવા પડશે અને સાથે જ ઈઝરાયેલ સાથેના રાજદ્વારી સંબંધો જાળવી રાખવા પડશે. જો સાઉદી અરેબિયા ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરશે તો તેનાથી ઈઝરાયેલને ઘણો ફાયદો થશે કારણ કે આરબ જગતમાં સાઉદી અરેબિયાનો ભારે પ્રભાવ છે. જોકે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને ડર છે કે જો તેઓ પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપ્યા વિના ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરશે તો તેઓ ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાન બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech