AAP નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિએ તેમના પર મની લોન્ડરિંગનો કેસ ચલાવવાની મંજૂરી આપી છે.
આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ માટે મંજૂરી આપી દીધી છે. હકીકતમાં ગૃહ મંત્રાલય દ્વારા 14 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી વિનંતી બાદ 18 ફેબ્રુઆરીએ પરવાનગી આપવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ED દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાના આધારે, જૈન સામે કાર્યવાહી કરવા માટે પૂરતી સામગ્રી છે. પરિણામે મંત્રાલયે કાનૂની કાર્યવાહી આગળ વધારવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માંગી. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે આ કેસની સુનાવણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2018 ની કલમ 2023 હેઠળ કરવામાં આવશે.
કોર્ટમાંથી મળ્યા હતા જામીન
તમને જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનની 30 મે 2022 ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર 2015-2016માં શેલ કંપનીઓ દ્વારા 16.39 કરોડ રૂપિયાની લોન્ડરિંગનો આરોપ હતો. ધરપકડ બાદ તેમને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેઓ લાંબા સમય સુધી કસ્ટડીમાં રહ્યા. જોકે, ૧૮ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ, દિલ્હીની એક કોર્ટે તેમને જામીન આપ્યા, જેમાં મુખ્ય કારણો ટ્રાયલમાં વિલંબ અને લાંબી કેદ હોવાનું દર્શાવવામાં આવ્યું. જૈનની જામીન સુનાવણી દરમિયાન ED એ તેમની મુક્તિનો વિરોધ કર્યો અને દલીલ કરી કે જો તેમને મુક્ત રહેવા દેવામાં આવે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. જોકે, AAP નેતાઓએ કોર્ટના જામીન નિર્ણયની પ્રશંસા કરી, તેને સત્યનો વિજય અને ભાજપના કાવતરાની હાર ગણાવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત બગડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
February 20, 2025 11:30 PMભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત સાથે કરી શરૂઆત, બાંગ્લાદેશને હરાવ્યું 6 વિકેટે
February 20, 2025 10:10 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, હવામાન વિભાગની ચેતવણી, પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે
February 20, 2025 09:39 PMવેરાવળમાં આરોગ્ય વિભાગની લાલ આંખ: 7 હોસ્પિટલોને ફટકારી નોટિસ
February 20, 2025 09:38 PMયુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના છૂટાછેડા, સંબંધોનો અંત, કાનૂની પ્રક્રિયા પૂર્ણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ
February 20, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech