સરિસ્કામાં વર્ષ ૨૦૨૫ સુધીમાં વાઘની સંખ્યા ૪૦ સુધી પહોંચાડવાનો લક્ષાંક

  • January 29, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરિસ્કા ટાઇગર રિઝર્વ પર હાલના દિવસોમાં યુવા વાઘ–વાઘણનું રાજ છે. છતાં પણ લગભગ છ મહિનાથી અહીં નવા બચ્ચાની રાહ જોવાઈ રહી છે. યારે વર્ષ ૨૦૨૫ સુધીમાં સરિસ્કામાં વાઘોની સંખ્યા ૩૫ થી વધારીને ૪૦ કરવાનો લયાંક છે. તાજેતરમાં વાઘણ એસટી– ૨ના મૃત્યુ થયા બાદ હાલમાં સરિસ્કામાં વાઘના કુળની સંખ્યા ઘટીને ૩૦ થઈ ગઈ છે.

હાલમાં સરિસ્કામાં ૧૪ વાઘણ, ૧૧ વાઘ અને ૫ બચ્ચા છે. આ પાંચ બચ્ચાનો જન્મ વર્ષ ૨૦૨૩માં થયો હતો. જેમાંથી ફેબ્રુઆરી ૨૦૨૩માં બે બચ્ચા અને જુલાઈ ૨૦૨૩માં ત્રણ બચ્ચાનો જન્મ થયો હતો. ત્યાર બાદ સરિસ્કામાં કોઈ બચ્ચાનો જન્મ થયો નથી. વર્તમાન સમયમાં સરિસ્કામાં ૧૧ વાઘ છે. તેમાંના મોટા ભાગના વાઘ યુવા છે. યારે ૧૪ વાઘણોમાંથી બે વાઘણોને બાદ કરતા અન્ય વાઘણો બચ્ચાને જન્મ આપવા સક્ષમ છે. છતાં પણ છેલ્લા છ મહિનામાં સરિસ્કામાં એક પણ નવું બચ્ચું આવી શકયું નથી.

યુવા વાઘ જંગલ બહાર આટાફેરા કરતા હોવાની પણ અસર નોંધપાત્ર બની રહે છે. સરિસ્કાના બે વાઘ હવે બહાર આવી ગયા છે. તેમાંથી એક વાઘ જયપુરના રામગઢ જંગલમાં ફરી રહ્યો છે, યારે બીજો વાઘ અલવર બફરથી રેન્જ વટાવીને હરિયાણાના રેવાડી જિલ્લામાં પહોંચ્યો છે. દરમિયાન વાઘ એસટી–૧૩ બે વર્ષથી કરતા પણ વધુ સમયથી ગુમ છે. જેમાં વાઘ એસટી– ૧૩ને સરિસ્કામાં લગભગ ૧૩ બચ્ચાના જન્મદાતા માનવામાં આવે છે. આ યુવા વાઘના ગાયબ થવાથી સરિસ્કાને મોટું નુકસાન થયું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં સરિસ્કામાં વાઘો સંખ્યા ૩૫ થી વધારીને ૪૦ કરવાનો લયાંક છે. પરંતુ જંગલમાંથી યુવા વાઘ જંગલમાંથી બહાર આવી રહ્યા છે, એ સમસ્યાને ઓછી કરવામાં નહીં આવે તો સરિસ્કામાં વાઘના કુળના સંવર્ધનનું લય ખોરવાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application