ખંભાળિયામાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિતોને વૃક્ષોના છોડ અપાયા

  • August 12, 2024 10:35 AM 

મોટી માત્રામાં રક્ત એકત્ર થયું



ખંભાળિયામાં આવેલી જૂની મહાજન વાડી ખાતે રવિવારે રક્તદાન કેમ્પનું સેવા કાર્ય કરાયું હતું. અહીંની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહના ઉપક્રમે યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં સંસ્થાના પાયાના પથ્થર અને સ્થાપના કાળથી જ છેલ્લા આશરે 42 વર્ષથી અવિરત રીતે સેવા કરી રહેલા મહેન્દ્રભાઈ કાનાણી પરિવારના ભત્રીજા સચિનભાઈ વ્રજલાલ કાનાણીના આર્થિક સહયોગથી આ બ્લડ કેમ્પ યોજાયો હતો. જેમાં સરકારી બ્લડ બેન્કના ટેક્નીશીયનોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ રક્તદાન કેમ્પ કાનાણી પરિવારની સુપુત્રી સ્વ. ધ્રુવીશા સચિનભાઈ કાનાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમની પુણ્ય સ્મૃતિમાં યોજાયો હતો.


છેલ્લા કેટલાક સમયથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દર મહિને સેવા લઇ રહેલા 150 જેટલા થેલેસેમીયાગ્રસ્ત બાળ દર્દીઓની જરૂરિયાત માટે ઉપયોગી થવાના આશયથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અહીં જોડાયેલા રક્તદાતાઓ તેમજ મહેમાનોને પણ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર સેવા કાર્ય માટે સંસ્થાના ટ્રસ્ટની તેમજ પ્રમુખ નિશિલભાઈ કાનાણીની જહેમત વચ્ચે સંસ્થાના કારોબારી સભ્ય મહેશભાઈ રાડિયા, સચિનભાઈ કાનાણી, જીગરભાઈ કાનાણી તેમજ કાર્યકરો અને પરિવારજનો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જેમાં સહભાગી થવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application