માનહાનિના કેસમાં સંજય રાઉત દોષિત, ૧૫ દિવસની સજા અને ૨૫ હજારનો દંડ

  • September 26, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માનહાનિ કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કદાવર નેતા સંજય રાઉત મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ તેમની સામે માનહાનિનો કેસ કર્યેા હતો. જેના પર મેટ્રોપોલિટન કોર્ટ મઝગાઉના મેજિસ્ટ્રેટે ચુકાદો આપતાં સંજય રાઉતને દોષિત ઠેરવી ૧૫ દિવસ કેદ અને ૨૫૦૦૦ પિયાનો દડં ફટકાર્યેા હતો.
ગત વર્ષે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમની પત્નીએ કોર્ટમાં અપીલ કરીને સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યેા હતો. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂકયો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં જાહેર શૌચાલયના નિર્માણ અને સારસંભાળ માટે ૧૦૦ કરોડ પિયાના કૌભાંડના આરોપો તદ્દન ખોટા છે. તે સમયે તેમણે સંજય રાઉત સામે કેસ નોંધવાની માગ કરી હતી અને તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે આઈપીસીની કલમ ૪૯૯ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાના વકીલે કહ્યું હતું કે કોર્ટે આદેશ કર્યેા છે કે તેમને વળતર પે સંજય રાઉત ૨૫૦૦૦ પિયા ચૂકવે. ફરિયાદમાં મેધાએ સ્વીકાયુ હતું કે રાઉત મરાઠી ન્યૂઝપેપર સામનાના એકિઝકયૂટિવ એડિટર છે અને ઉદ્ધવની શિવસેનાના મુખ્ય પ્રવકતા પણ છે. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂકયો હતો કે ૧૫ એપ્રિલ ૨૦૨૨ના રોજ તેમની વિદ્ધ માનહાનિ કરતાં નિવેદનો છાપવામાં આવ્યા હતા. જે ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્રારા ફેલાવાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application