સલાયા સોમવતી અમાસ શ્રાવણ માસનો છેલા દિવસે બન્યું શિવમય

  • September 03, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર શ્રાવણ માસનો પાંચમો સોમવાર અને અમાસ બને ભેગા હોઈ આં દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શ્રાવણ માસ દરમ્યાન સલાયામાં આવેલ શિવ મંદિરોમાં દરરોજ નવા નવા દર્શનના આયોજન કરવામાં આવતા હતા. જેનો શિવભકતો મોટી સંખ્યામાં લાભ લેતા હતા. સોમવતી અમાસના રોજ સલાયામાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે અમરનાથ નાં સ્વરૂપના શણગાર શિવજીને કરવામાં આવેલ હતા. જેમાં બરફ દ્વારા આબેહૂબ અમરનાથ મહાદેવ જેવા દર્શનના શણગાર કરાયા હતા. તેમજ તળાવની પાળ પાસે આવેલ પાળેશ્વર મહાદેવ મંદિરે આજરોજ મહાકાલ સ્વરૂપના દર્શનના શણગાર કરવામાં આવેલ હતા. તથા રાત્રે ભસ્મ આરતી કરવામાં આવેલ હતી.જેમાં મોટી સંખ્યામાં શિવભકતો જોડાયા હતા. આમ સલાયા સોમવતી અમાસના રોજ શિવમય બન્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application