સલાયા નગરપાલિકા આકરા પાણીએ વેરો ના ભરનારાના નળ કનેકશન કાપ્યા

  • February 10, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણાં સમયથી વેરા બાકી હોય એ લોકોને લેખિત નોટીસો મારવામાં આવી હતી. છતાં પણ જે લોકોએ વેરા ભરેલ નથી તેઓના નળ કનેકશન કાપવામાં આવેલ છે. હાલ સલાયામાં ૬ નળ કનેકશનો કાપવામાં આવેલ હતી.
આમ કુલ અત્યાર સુધી ૧૩ નળ કનેકશનો કાપેલ છે, તેમજ હજુ આ લોકોને જણાવેલ છે કે જો ૧પ દિવસમાં વેરા ભરવામાં નહીં આવે તો નિયમ મુજબ જે તે મિલ્કત સીલ કરવામાં આવશે.
આમ નગરપાલિકા વેરા ન ભરનાર ઉપર આકરા પાણીએ કામ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહી છે. કર્મચારીઓના પગાર કરવા માટે પણ પૂરતું ફંડ નથી, જેથી નગરપાલિકા વેરા બાકી હોઇ એ કલેકશનમાં જ પૂરતું ઘ્યાન આપી રહેલ છે. કડક કાર્યવાહી થતાં વેરાની આવકમાં વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application