સલાયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણાં સમયથી વેરા બાકી હોય એ લોકોને લેખિત નોટીસો મારવામાં આવી હતી. છતાં પણ જે લોકોએ વેરા ભરેલ નથી તેઓના નળ કનેકશન કાપવામાં આવેલ છે. હાલ સલાયામાં ૬ નળ કનેકશનો કાપવામાં આવેલ હતી.
આમ કુલ અત્યાર સુધી ૧૩ નળ કનેકશનો કાપેલ છે, તેમજ હજુ આ લોકોને જણાવેલ છે કે જો ૧પ દિવસમાં વેરા ભરવામાં નહીં આવે તો નિયમ મુજબ જે તે મિલ્કત સીલ કરવામાં આવશે.
આમ નગરપાલિકા વેરા ન ભરનાર ઉપર આકરા પાણીએ કામ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહી છે. કર્મચારીઓના પગાર કરવા માટે પણ પૂરતું ફંડ નથી, જેથી નગરપાલિકા વેરા બાકી હોઇ એ કલેકશનમાં જ પૂરતું ઘ્યાન આપી રહેલ છે. કડક કાર્યવાહી થતાં વેરાની આવકમાં વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાનગરપાલિકામાં ભરતી શરૂ કરો; મ્યુનિ.કમિશનર સામે યુનિયન મેદાને
May 09, 2025 02:19 PMજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech