સખી તારા સંગાથ વીના જિંંદગી નહીં જીવાય મને માફ કરજે હત્પં દુનિયામાં રહેવાની નથી

  • January 05, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સાધુવાસવાણી રોડ પાસેના વિસ્તારમાં રહેતી ધો.૯ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીરા લાપતા બનતા પરિવારે શોધખોળ શ કરી હતી.દરમિયાન તેની લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.જે તેણે પોતાની સખીને સંબોધી લખી હતી.જે ચિઠ્ઠીમાં મને માફ કરજે, મારે ભગવાનના ઘેર તેડું આવી ગયું છે.તેવું લખ્યું હતું.સગીરા ચાર દિવસથી શાળાએ ન ગઇ હોય સખીને ન મળી શકવાનો વીરહ સહન ન થતાં ઘર છોડી દીધું હોવાની શંકા તેણે લખેલી ચિઠ્ઠી પરથી ઉઠી રહી છે.ત્યારે આ મામલે સગીરાના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.

શહેરના ગોપાલ ચોક પાસેના વિસ્તારમાં રહેતા આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. પત્નીનું સાત વર્ષ પૂર્વે ડીલેવરી સમયે અવસાન થયું હતું. ૧૬ વર્ષની દીકરી જે ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલા વિસ્તારમાં શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. ગઇકાલે રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે ૧૬ વર્ષની આ દિકરી ઘરે જોવા મળી ન હતી. જેથી ફરિયાદીએ શેરીમાં તથા પાડોશમાં તેની શોધખોળ કરી હતી. પાડોશમાં જ તેમના ભાઈ રહેતા હોય તેમના ઘરે તથા સંબંધીના ઘરે તપાસ કરી હતી. પરંતુ દીકરીનો કયાંય પતો લાગ્યો ન હતો.

બાદમાં દીકરીનું દફતર ચેક કરતા તેમાં ઉપર એક ચોપડો પડો હોય જેમાં ચોપડાની અંદર જોતા લખેલી બે પેજની ચીઠ્ઠી જોવા મળી હતી. જે ચિઠ્ઠીમાં દીકરીએ તેની સહેલી જે તેની સાથે શાળામાં અભ્યાસ કરતી હોય અને કૌટુંબિક બહેન પણ થતી હોય તેને સંબોધીને લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મારી આશા ન રાખતી મા ભગવાનને ઘેર તેડું આવી ગયું છે. હત્પં આ દુનિયામાં રહેવાની નથી મારી વાત તું મને જેવી યાદ કરે છે તેના કરતાં પણ વધુ યાદ કં છું. જીવનમાં એક જ પાકી ફ્રેન્ડ તું. પણ ભગવાનની ઈચ્છા ન હતી. જુદા પડી ગયા યાર જીવનમાં ઘણા જોયા પણ એક પણ નહીં. શનિવારે મેં તારી હારે વાત નહોતી કરી મને આજે ઘણું દુ:ખ થાય છે મને માફ કરજે આજે દુ:ખના દાળન છે તે કાલે જતા રહેશે. તારા જેવા સાથી નસીબદારને મળે છે.યારા તેરી યારી કો મેને તો ખુદા માના,યાદ કરેગી દુનીયા તેરા મેરા અફસાના,મેરે દીલ કે યે દુઆ હૈ,દુર તુ ન જાયે,તેરે બગેર હો જીવા વો દીન કભી ના આયે,યાદ તારી આવે છે.
આ અંગે દીકરીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે,દીકરીને સ્કુલ મુકવા તથા તેડવા તે જાય છે.પણ હાલ કમમાં વ્યસ્ત હોવાથી ચારેક દિવસથી દીકરીને શાળાએ મૂકવા ગયા ન હતાં.જેથી તે તેની સહેલીને મળી શકી ન હોવાથી ઘર છોડી ચાલી ગઇ હોવાની શંકા સેવાઇ રહી છે.આ મામલે યનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.પી.રજયાની રાહબરીમાં પીએસઆઇ બોદર તપાસ ચલાવી રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application