મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પત્ની કરીના કપૂર પણ હાજર
સૈફ અલી ખાનના ચાહકો માટે ખરાબ સમાચાર છે, અભિનેતાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાની ટીમે હજુ સુધી અહેવાલો અંગે સ્પષ્ટતા કરતું કોઈ નિવેદન જારી કર્યું નથી. સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન તેના પતિ સાથે હોસ્પિટલમાં હોવાના અહેવાલ છે.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સૈફને ઘૂંટણમાં ઈજા થઈ છે અને ટૂંક સમયમાં તેની સર્જરી થવાની શક્યતા છે. અભિનેતાની ટીમે હજુ સુધી અહેવાલો અંગે સ્પષ્ટતા કરતું કોઈ નિવેદન જારી કર્યું નથી.
મળતી માહિતી મુજબ સૈફ અલી ખાનને 22 જાન્યુઆરીની સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે તેની પત્ની કરીના કપૂર પણ હાજર છે. જો કે, સૈફના હોસ્પિટલમાં દાખલ થવા વિશે વધુ માહિતી બહાર આવી નથી કે તે કેવી રીતે અને ક્યાં ઘાયલ થયો. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સૈફ તેની આગામી ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયો છે.
સૈફ અલી ખાનને ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે અને ડોક્ટરોએ તેને સર્જરી માટે કહ્યું છે. સૈફની તબિયત વિશે જાણ્યા બાદ તેના ચાહકો ખૂબ જ ચિંતિત છે. કલાકારો હંમેશા તેમની ફિલ્મો માટે હેડલાઇન્સમાં રહે છે. લોકો સૈફની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે અને બોલિવૂડ બાદ તે સાઉથ સિનેમામાં પણ ધૂમ મચાવનાર છે.
આ દિવસોમાં તે સાઉથ એક્ટર જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર સાથે ફિલ્મ દેવરાનું શૂટિંગ કરી રહ્યો છે અને તે ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ સૈફ દેવરાના સેટ પર ઘાયલ થયો હશે. ચાહકો આ ફિલ્મમાં તેના એક્શન સીન જોવાના છે.
હોસ્પિટલે હજુ સુધી કોઈ નિવેદન જાહેર નથી કર્યું
હજુ સુધી સૈફ અલી ખાનની સર્જરીને લઈને કોકિલાબેન હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેમજ સૈફ અલી ખાન અને કરીના કપૂરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમની ઇજાઓ વિશે કોઈ અપડેટ આપી નથી.સૈફ અલી ખાન શૂટિંગ દરમિયાન ઘણી વખત ઘાયલ થયો છે. સૈફ અલી ખાનને 2016માં ફિલ્મ ‘રંગૂન’ના શૂટિંગ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જે બાદ તેની સર્જરી કરાવવી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેટ પેચરથી ખાડાઓનું રિપેરિંગ શરૂ
September 16, 2024 03:27 PMભારતને ત્રીજા ક્રમનું અર્થતત્રં બનાવવું છે: વડાપ્રધાન
September 16, 2024 03:26 PMયુપીના ૨૦ જિલ્લા પૂરગ્રસ્ત ૨૪ કલાકમાં ૧૧ વ્યકિતનાં મોત
September 16, 2024 03:07 PM૩૦૦ કરોડ રૂપિયાના વિઝા કૌભાંડનો દિલ્હીમાં પર્દાફાશ: પાંચની ધરપકડ કરી
September 16, 2024 03:06 PMદુર્લભ સફળતા! ડોકટરોએ યુવતીના શરીરમાં નવું જ ગર્ભાશય વિકસાવ્યુ
September 16, 2024 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech