વારાણસીના અનેક મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવાઈ

  • October 02, 2024 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંદિરોની નગરી વારાણસીમાં આવેલા મંદિરોમાં મુકવામાં આવેલી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવવાનું અભિયાન સનાતન રક્ષક દળે શ કયુ છે અને તેમનો આરોપ છે કે આવી પ્રથાઓને હિંદુ શાક્રો દ્રારા 'મંજૂરી' નથી. 'સનાતન રક્ષક દળ' નામના જૂથ દ્રારા શ કરાયેલા અભિયાનને પગલે વારાણસીમાં અનેક મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવવામાં આવી હતી.તેમાંથી, જૂથે અહીંના બડા ગણેશ મંદિરમાંથી સાંઈ બાબાની પ્રતિમાને હટાવીને મંદિરના પરિસરની બહાર મૂકી દીધી હતી, તો બીજી તરફ સાંઈ બાબાના અનુયાયીઓમાં આ મુદે રોષ છવાયો છે.
મંદિરના મુખ્ય પૂજારી રામમુ ગુએ કહ્યું, સાંઈ બાબાની યોગ્ય જાણકારી વિના પૂજા કરવામાં આવી રહી હતી, જે હિંદુ શાક્રો અનુસાર પ્રતિબંધિત છે.
તેવી જ રીતે, અન્નપૂર્ણા મંદિરના મુખ્ય પૂજારી શંકર પુરીએ કહ્યું, શાક્રોમાં સાંઈ બાબાની પૂજાનો કોઈ ઉલ્લેખ નથી.
દરમિયાન, અયોધ્યાના હનુમાનગઢી મંદિરના મહતં રાજુ દાસે કહ્યું, સાંઈ 'ધર્મ ગુ' (ધાર્મિક ઉપદેશક), 'મહાપુષ' (મહાન વ્યકિત), 'પીર' અથવા 'ઓલિયા' હોઈ શકે છે. હત્પં વારાણસીમાં તે વ્યકિતનો આભાર માનું છું જેણે (સાઈ બાબાની) મૂર્તિ દૂર કરી છે. સનાતન રક્ષક દળના પ્રદેશ અધ્યક્ષ અજય શર્માએ કહ્યું કે, ફકત સર્વેાચ્ચ દેવતા ભગવાન શિવની પૂજા કાશી (વારાણસી)માં થવી જોઈએ. ભકતોની ભાવનાઓને માન આપીને ૧૦ મંદિરોમાંથી સાઈ બાબાની મૂર્તિઓ હટાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અગસ્ત્યકુંડ અને ભૂતેશ્વર મંદિરોમાંથી પણ પ્રતિમાઓ હટાવવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application