જામનગરમાં ગરબે ઘુમતી બહેન- દીકરીઓ નિર્ભય રીતે ગરબા રમજો: અમે તમારી સુરક્ષા માટે ૨૪ કલાક તહેનાતમાં છીએ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રાચીન અર્વાચીન રાસ ગરબા મહોત્સવ ચાલી રહ્યા છે, અને તેમાં અનેક નાની-મોટી બાળાઓ તેમજ યુવતીઓ ગરબા રમીને માતાજીની આરાધના કરી રહી છે, ત્યારે કોઈ આવારા તત્વોની રંજાડ જોવા ન મળે, અથવા તો કોઈપણ બહેન દીકરી સુરક્ષાથી વંચીત ન રહે, તે માટે જામનગર ની મહિલા ૧૮૧ અભિયમ્ ની ટીમ ૨૪ કલાક કાર્યરત છે, અને સતત પેટ્રોલિંગ કરી રહી છે.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ ચોવીસેય કલાક તહેનાત માં રાખવામાં આવી છે. અને ખાસ કરીને સાંજે તેમજ રાત્રિના સમયે તમામ રાસ ગરવાના સ્થળો પર ટીમને દોડતી કરાવાઈ છે.
જેમાં ૧૮૧ ની મહિલા ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેન ગોહિલ તેમના પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સાથે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે, અને અલગ અલગ પ્રાચીન- પ્રાચીન રાસ મહોત્સવ ની મુલાકાત લઈ નારીની સુરક્ષા માટેની ચિંતા કરી રહ્યા છે.
જામનગરના એમ. પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં ચાલી રહેલા સહીયર નવરાત્રી મહોત્સવમાં ઉપરોક્ત ૧૮૧ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર શીતલબેન સોલંકીએ મંચ પરથી માઈક દ્વારા ગરબે ઘુમતી બાળાઓને સંદેશો આપ્યો હતો, કે તમે મન મૂકીને ગરબા રમજો તમારી સુરક્ષા માટે જામનગરની મહિલા પોલીસ ટીમ રાઉન્ડ ધ ક્લોક તહેનાતમાં છે. પોલીસ ડ્રેસમાં ઉપરાંત સાદા અથવા ગરબા રમવા ના પહેરવેશ માં પણ મહિલા પોલીસની 'સી' ટીમ બનાવાઇ છે, અને તમારી વચ્ચે જ સાથે જોડાઇ છે.
જો કોઈને પણ આવારા તત્વોની રંજાડ અથવા આવી કોઈ ફરિયાદ મળે તો તુરત જ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.
રાત્રિના સમયે શહેર થી દૂરના વિસ્તારમાં એકલા નહીં નીકળવા, અને પોતાના પરિવારની સાથે જ રહેવા, ઉપરાંત પોતાના મોબાઈલ ફોન મારફતે પરિવારજનોને લોકેશન શેર કરવા સહિતના જુદા જુદા સંદેશાઓ પણ આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech