ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને BCCI લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આવતીકાલે મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારંભમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવશે. ભારત માટે ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ૫૧ વર્ષીય તેંડુલકર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને વન-ડે રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2024 માટે સીકે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળશે. બોર્ડના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તેંડુલકરની ૨૦૦ ટેસ્ટ અને ૪૬૩ વન-ડે મેચ ક્રિકેટ ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા રમાયેલી સૌથી વધુ છે. તેમણે ૧૫,૯૨૧ ટેસ્ટ રન બનાવ્યા અને વન-ડેમાં ૧૮,૪૨૬ રન બનાવ્યા છે.
સચિન તેંડુલકરે પોતાની શાનદાર કારકિર્દીમાં ફક્ત એક જ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 2023માં, આ એવોર્ડ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ભૂતપૂર્વ દિગ્ગજ વિકેટકીપર ફારૂક એન્જિનિયરને આપવામાં આવ્યો હતો. પોતાના યુગના મહાન બેટ્સમેન ગણાતા તેંડુલકર બધી જ પરિસ્થિતિઓમાં સરળતાથી રન બનાવવા માટે જાણીતા હતા. તેમણે ૧૯૮૯માં ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેઓ બે દાયકા (24 વર્ષ)થી વધુ સમય સુધી ચર્ચામાં રહ્યા.
સચિન તેંડુલકર નામે ટેસ્ટ અને વન-ડે બંને ફોર્મેટમાં ૧૦૦ સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેંડુલકર, જેમના નામે અનેક બેટિંગ રેકોર્ડ છે, તે ભારતની 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો મુખ્ય સભ્ય પણ હતો. આ તેમનો રેકોર્ડ છઠ્ઠો અને છેલ્લો વર્લ્ડ કપ હતો. જ્યારે સચિન તેની રમતની ટોચ પર હતો, ત્યારે દેશની મોટી વસ્તી તેને બેટિંગ કરતી જોવા માટે ઉભી રહેતી હતી. હરીફ ટીમોના બોલરો તેને સૌથી વધુ ડરાવતા હતા. દુનિયાભરના ઘણા ભૂતપૂર્વ મહાન બોલરોએ કહ્યું છે કે, ભારતીય બેટ્સમેનોમાં તેમને ફક્ત તેંડુલકર સાથે જ સમસ્યા છે.
સચિન આ પુરસ્કાર મેળવનાર 31મો વ્યક્તિ હશે. બીસીસીઆઈએ ૧૯૯૪માં ભારતના પ્રથમ કેપ્ટન કર્નલ સીકે નાયડુના માનમાં આ એવોર્ડ શરૂ કર્યો હતો. નાયડુની પ્રથમ શ્રેણીની કારકિર્દી ૧૯૧૬ થી ૧૯૬૩ સુધી ૪૭ વર્ષની હતી. આ એક વિશ્વ રેકોર્ડ છે. નાયડુએ રમતગમત ક્ષેત્રે પણ પ્રશાસક તરીકે સેવા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech