શેઠવડાળા પાસે પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસના ચાલકે ત્રણ ભેંસોને હડફેટમાં લઈ ઈજાગ્રસ્ત બનાવી

  • August 20, 2024 10:58 AM 

જામજોધપુર નજીક શેઠ વડાળા ગામ પાસે એક એસટી બસના ચાલકે ત્રણ  ભેંસોને હડફેટમાં લઈ ઇજાગ્રત બનાવ્યાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાઈ છે.


આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વતની અને જામજોધપુર એસટી બસ ડેપોની જી.જે.૧૮ ઝેડ ટી -૬૬૩ નંબરની એસટી બસના ચાલક રમેશભાઈ મનહરભાઈ લુદરીયાએ શેઠ વડાળા નજીક હાઈવે રોડ પર ત્રણ ભેસોને હડફેટમાં લીધી હતી, અને ત્રણેય ઇજાગ્રસ્ત બની ગઈ હતી.


આ અકસ્માતના બનાવ અંગે ઢોરના માલિક ખિમાભાઈ વાલાભાઈ ટાપરિયાએ શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application