રાજકોટ એસટી ડિવિઝનએ શિવરાત્રીના મેળામાં એકસ્ટ્રા બસની ૫૦ ટ્રીપ દોડાવી

  • March 09, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનએ જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા માટે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એકસટ્રા બસ સર્વિસ શ કરી હતી જેમાં મેળામાં જતા ભાવિકો માટે એકસટ્રા બસની કુલ ૫૦ ટિ્રપ દોડાવાઇ હતી.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે મેળાના પાંચ દિવસ પૂર્વેથી એકસટ્રા બસ સર્વિસ માટે ૩૦ બસો તૈનાત રાખવામાં આવી હતી, જૂનાગઢ માટેની ડેઇલી શેડયૂઅલ બસોમાં પણ ચિક્કાર ટ્રાફિક રહ્યો હતો તદ્દઉપરાંત મુસાફરોનો ધસારો વધે કે તુરતં એકસટ્રા બસ મુકવામાં આવતી હતી. આ મુજબ કુલ ૫૦ ટિ્રપ દોડાવતા .ત્રણ લાખની આવક થઇ હતી.
દરમિયાન ગતરાત્રે મેળો પૂર્ણ થતાં આજે સવારથી જૂનાગઢથી રિટર્ન ટ્રાફિક શ થયો છે અલબત્ત તે માટે જૂનાગઢ એસટી ડિવિઝન દ્રારા જરિયાત મુજબ એકસટ્રા બસો મુકવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application