ધોરાજી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવેલા યુવાને પોલીસ સ્ટેશનમાં આવેલા મહિલાઓના બાથમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાના પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ધોરાજી દોડી ગયો હતો.
બનાવની પ્રા વિગત મુજબ ધોરાજીના ભરપુર સિધ્ધાર્થનગરમાં રહેતો કમલેશ ઉર્ફે મોહન કેશુજી પરમાર (ઉ.વ.૩૦)ના યુવકને ધોરાજી પોલીસ મોબાઈલ ચોરીના ગુનામા પુછપરછ માટે લાવી હતી. દરમિયાન ગઈકાલે બપોરના સમયે યુવક પોલીસ મથકમાં હતો ત્યારે મહિલાના બાથમમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કેટલીક વાર સુધી યુવક બહાર ન આવતા પોલીસ સ્ટાફ અંદર જોવા જતા યુવક લટકતી હાલતમાં જોવા મળતા તેને બચાવી ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની ટિમ દ્રારા યુવકને સીપીઆર આપવામાં આવ્યા હતા અને તાકીદે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકનો જીવ બચી શકયો નહતો. કસ્ટોડિયલ ડેથની ઘટનાને લઇ પોલીસમાં સોપો પડી ગયો હતો. બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ધોરાજી દોડી ગયો હતો અને પોલીસ સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુવકના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech