અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવની માફી માંગી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. જો કે પુતિને આ દુર્ઘટનાની કોઈ જવાબદારી લીધી નથી અને કહ્યું છે કે તે સમયે યુક્રેન તરફથી હુમલો કરવામાં આવ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાન એરલાઈન્સના વિમાનના દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવની માફી માંગી છે. જોકે, તેણે પ્લેન ક્રેશની જવાબદારી લીધી નથી.
નોંધનીય છે કે 25 ડિસેમ્બરે બાકુથી રશિયા જઈ રહેલું અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયું હતું, જેમાં 38 મુસાફરોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ યુરો ન્યૂઝને ટાંકીને કહ્યું કે ક્રેમલિનના સૂત્રોના જણાવ્યા અનુસાર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવને ફોન કર્યો છે અને બુધવારે જીવલેણ વિમાન દુર્ઘટના બાદ માફી માંગી છે.
શોક વ્યક્ત કર્યો
તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી અને નિષ્ઠાવાન સંવેદના પણ વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ અલીયેવ સાથે ફોન કોલ દરમિયાન પુતિને કહ્યું કે પ્લેન ચેચન્યાની રાજધાની ગ્રોઝનીના એરપોર્ટ પર વારંવાર ઉતરવાની કોશિશ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં પક્ષી ગણતરીનો થયો શુભારંભ
February 02, 2025 01:51 PMખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો...
February 02, 2025 01:31 PMરાજકોટ:નશાની હાલતમાં અપશબ્દો બોલતા વ્યક્તિનો વિડીયો વાઈરલ થતાં પોલીસે કરાવ્યું કાયદાનું ભાન...
February 02, 2025 01:26 PMશું હવે ટ્રેડ વોર થશે? અમેરિકાના નિર્ણયથી કેનેડા, મેક્સિકો અને ચીન ગુસ્સે, શું કહ્યું ટેરિફ વિશે?
February 02, 2025 11:40 AMબિહારમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ, રાષ્ટ્રપતિને કહ્યા હતા 'ગરીબ મહિલા'
February 02, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech