જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં સાપ નીકળતાં દોડધામ

  • April 06, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરાયું: લોકોના ટોળા ઉમટયા



જામનગર મહાનગરપાલિકા સંચાલિત મહાપ્રભુજી ની બેઠક પાસે આવેલી આંગણવાડીમાં આજે વહેલી સવારે અચાનક  સાપ નીકળતાં ભારે દોડધામ થઈ હતી, અને આંગણવાડીના સંચાલકો તેમજ બાળકો અને તેના વાલીમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે અંગેની જાણ થતાં  જીવ દયા પ્રેમી દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


મહાપ્રભુજીની બેઠક પાસે આવલી આંગણવાડી કેન્દ્રમાં આસપાસના વાડી વિસ્તારમાંથી સાપ આવી જતાં તાત્કાલિક અસરથી બાળકો તથા આંગણવાડી કેન્દ્ર ના બહેનો વગેરેને આંગણવાડીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.


રસોડાના ભાગમાં સાપ આવી જતાં જીવ દયા પ્રેમીનો સંપર્ક કરવામાં આવતાં રાહુલભાઈ જેઠવા દ્વારા સાપનું રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ સાપને યોગ્ય સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application