અભિએ સ્વીકાર્યું કે ઐશ્વર્યાએ તેને નકારાત્મક ન બનતા શીખવ્યું
છેલા થોડા સમયથી બચ્ચન પરિવારમાં બધું સરખું નથી તેવી અફવાઓ એ જોર પકડ્યું છે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે પાણી માથા ઉપર હોવા છતાં અભિષેક અને ઐશ્વર્યા ચૂપ કેમ રહે છે? આનું કારણ છે ઐશ્વર્યા છે. વાસ્તવમાં, અભિષેકે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ઐશ્વર્યા તેને નેગેટીવ બાબતો પર ભાર ન મુકવા સલાહ આપે છે.
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન ઈન્ડસ્ટ્રીના એવા થોડા લોકોમાંથી એક છે જે વિવાદોથી દૂર રહે છે. તે તમામ કલાકારો સાથે સારા સંબંધો ધરાવે છે અને તેના પારિવારિક જીવનનો આનંદ માણવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ હોવા છતાં, અભિષેક બચ્ચનના લગ્ન જીવન વિશે સમયાંતરે નકારાત્મક સમાચાર આવતા રહે છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના અને ઐશ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું અને તેઓ હવે જલદી છૂટાછેડા લેવાના છે.
અભિષેક બચ્ચનના આ અંગે કહ્યું હતુ કે તેણે કહ્યું કે "તે બતકની પીઠ પરથી પાણી કાઢવા જેવું છે," તેણે કહ્યું. મતલબ કે કોઈને મળેલી ટીકા કે નકારાત્મકતા તેને મળેલા પ્રેમ અને વખાણ કરતાં ઘણી વધારે હોય છે.તેણે કહ્યું કે, 'ઐશ્વર્યા રાય બચ્ચન એ મને એકવાર કહ્યું હતું કે જ્યારે તમે ફેમસ થાઓ છો, ત્યારે તમારા વિશે નકારાત્મક અને સકારાત્મક બાબતો ફેલાતી રહે છે.
તમારે ફક્ત સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને લોકો તરફથી તમને મળતા પ્રેમનો સ્વીકાર કરવો જોઈએ. નકારાત્મક બાબતો પર ધ્યાન આપ્યા વિના આગળ વધતા રહો અને જીવનનો આનંદ માણો અને અભિષેક તેની પત્ની ઐશની આ સલાહને અનુસરે છે અને કોઈપણ નકારાત્મક સમાચાર પર ધ્યાન આપતો નથી.
અભિનેતાએ આગળ કહ્યું, વ્યક્તિએ હંમેશા જીવનના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઐશ્વર્યા નકારાત્મક બાબતોથી આગળ વધવાની સલાહ પણ આપે છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે આ કારણોસર કપલ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech