રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશની રાજધાની નવી દિલ્હીમાં પોતાનું નવું અને ભવ્ય કાયર્લિય બનાવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ આરએસએસ કાયર્લિય લગભગ 4 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. સંઘની નવી ઇમારત 13 માળની ભવ્ય ઇમારત છે અને તેમાં કુલ 300 રૂમ અને ઓફિસો છે. સંઘ તેની ઓફિસનું પુનર્નિમર્ણિ કરાવી રહ્યું હતું. આ બાંધકામ કાર્ય પૂર્ણ થયા પછી સંઘે તેનું કાયર્લિય જૂના સરનામે ખસેડ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીના ઝંડેવાલાનમાં સ્થિત આરએસએસ કાયર્લિય કેશવ કુંજના પુનર્નિમર્ણિ માટે લગભગ 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ હિન્દુત્વ સંગઠનની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા 75,000 થી વધુ લોકોના યોગદાન દ્વારા એકત્ર કરવામાં આવ્યો છે. આઠ વર્ષથી વધુ સમય થયો છે. આ સમયગાળા દરમિયાન કોરોના ચેપ્ને કારણે બાંધકામ કાર્યને પણ અસર થઈ હતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે 19 ફેબ્રુઆરીએ સંગઠનના દિલ્હી એકમના કાર્યકતર્િ સંમેલન માં હાજરી આપશે અને ઝંડેવાલાન કાયર્લિયથી સંગઠનનું કાર્ય શરૂ કરશે.
1962 થી ઝંડેવાલાનમાં સંઘનું કાયર્લિય છે. અહીં બાંધકામ શરૂ થયા પછી આરએસએસ 2016 થી ભાડાના સ્થળેથી તેની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે નવું સંકુલ અગાઉના બે માળના મકાન કરતાં તદ્દન અલગ છે. તે આધુનિક બાંધકામ તકનીકો અને પ્રાચીન સ્થાપત્ય ડિઝાઇનને જોડીને તૈયાર કરવામાં આવ્યું છે. જેથી આ ઇમારતને હવા અને સૂર્યપ્રકાશથી ચમકતી બનાવી શકાય. ઇમારતની જાળીઓ પર સ્વસ્તિક ચિહ્નો મૂકવામાં આવ્યા છે. આ ઈમારતના ઓડિટોરિયમમાં આરએસએસના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારની પ્રતિમા સ્થાપિત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આરએસએસ કાયર્લિયમાં એક પુસ્તકાલય, આરોગ્ય ક્લિનિક અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ ઉપરાંત તેના પદાધિકારીઓ અને સભ્યો માટે રહેઠાણની સુવિધાઓ પણ છે. આ ઉપરાંત તેની કુલ વીજળીની જરૂરિયાતોના એક ભાગને પૂર્ણ કરવા માટે સોલાર પેનલ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ ઇમારતની આરોગ્ય સુવિધાઓ નજીકમાં રહેતા ગરીબ લોકો માટે ખુલ્લી રહેશે અને બહારના લોકો પણ પુસ્તકાલયની સુવિધાઓનો લાભ લઈ શકશે. નવા સંકુલમાં આધુનિક અને જગ્યા ધરાવતા કોન્ફરન્સ રૂમ અને ઓડિટોરિયમ છે.
ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવેએ આ ઇમારત ડિઝાઇન કરી
ઇમારતના ત્રણ ટાવરને ત્રણ નામ આપવામાં આવ્યા છે. આ નામ છે - સાધના, પ્રેરણા અને અર્ચના. આ ઇમારતમાં એક એસેમ્બલી હોલનું નામ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નેતા અશોક સિંઘલના નામ પરથી રાખવામાં આવ્યું છે. અશોક સિંઘલ રામ મંદિર નિમર્ણિ ચળવળ સાથે જોડાયેલા હતા. આ ઓડિટોરિયમમાં 463 લોકો બેસી શકે છે. આ મહેલના બીજા એક ઓડિટોરિયમમાં 650 પ્રેક્ષકો બેસી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech