ખંભાળિયા પંથકમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ કરાયું

  • September 02, 2024 11:06 AM 

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક માર્ગો ક્ષતિગ્રસ્ત બની ગયા છે. જેના કારણે ખાસ કરીને વાહન ચાલકો તેમજ નગરજનોને મારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીનું ખંભાળિયામાં આગમન થયું હતું ત્યારે તેમના દ્વારા આ અંગે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે કરવામાં આવેલી સમીક્ષાને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા આ બાબતને પ્રાધાન્ય આપી, રસ્તાઓના સમારકામ કરવા માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં શહેરી વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓ દૂરસ્ત કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરી, લોકોને હાલાકી ન થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application