પોરબંદર શહેરમાં સીટી બસના ડ્રાઇવરોને અપાયુ માર્ગ સલામતી માટે માર્ગદર્શન

  • May 17, 2025 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં સિટી બસના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.પોરબંદરના પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર પોરબંદર શહેરમાં આવેલ સુદામાચોક  સીટી બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ,
જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત તમામ સીટી બસના ડ્રાઈવર અને સંચાલકને વાહન અકસ્માત ન સર્જાય તે માટે જ‚રી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.વાહન ઓવર સ્પીડમાં ન ચલાવવા, રોગસાઈડમાં વાહન ન ચલાવવા, વાહનના પાર્કિંગ બાબતે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તેમજ  તેમની અને લોકોની સલામતી અને સુરક્ષા માટે સાવચેતી અને કાળજીપુર્વક ડ્રાઈવિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને ગુડ સમરીટન  (રાહવીર યોજના) બાબતે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમજ લોકોને માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application