આ વિસ્તારમાં ગંદકી થતી હોવાથી રહેવાસીઓ પરેશાન
મચ્છરનગરના રહેવાસીઓએ બુધવારી બજાર બંધ કરાવવા માટે કમિશ્નરને પત્ર લખી જાણ કરવામાં આવી હતી આ પત્રમાં જણાવ્યું હતું કે વોર્ડ નં .૨ માં આવેલ મચ્છરનગર , અન્નપુર્ણા ચોકમાં ગીચ વિસ્તારમાં દર બુધવારે બજાર ભરાતી હોય છે, આ વિસ્તારમાં બજાર ભરાવવાના કારણે રસ્તો બ્લોક થઇ જાય છે . જેનાથી વાહનો અવર જવર પણ કરી શકતા નથી તેમજ ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે .
બજારમાં ધંધો કરવા આવતા લોકો રેકડીઓ તેમજ પથારા લોકોના ઘરોની બહાર ધરારથી રાખતા હોય છે જેથી મકાન માલિકને બહાર નીકળવામાં ખૂબ પરેશાની રહેતી હોય છે .અને ધંધો કરવા આવતા લોકો સ્થાનિક લોકોને ધમકીઓ પણ આપતા હોય છે.
સ્થાનિક લોકો એવા આક્ષેપો કરી રહ્યા છે કે આ વિસ્તારની બે થી ત્રણ બહેનો દ્વારા હપ્તા પણ ઉઘરાવામાં આવે છે . બુધવારી બજારમાં ધંધો કરવા આવતા લોકો દ્વારા ગંદકી પણ કરવામાં આવતી હોય છે તેથી સ્થાનિક લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યુ છે. માટે આ બુધવારી બજાર તાત્કાલિક ધોરણે બંધ કરાવવા રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application1.2 અબજ લોકો પાસે મોબાઈલ પરંતુ જ્ઞાન મનોરંજન પુરતું સીમિત
June 28, 2024 11:29 AMજો તમે પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો આહારમાં સામેલ કરો આ 5 મસાલા
June 28, 2024 11:29 AMનવાગામ ઘેડમાં નદીના વહેણના નાલા ઉપર કોઈએ પુલ બનાવી નાખતાં કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો
June 28, 2024 11:28 AMજામનગર: ધોરીવાવ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત
June 28, 2024 11:27 AMજામનગરમા ખાનગી ટ્રાવેલ્સના ઓપરેટરોને થતી હેરાનગતિ અંગે જિલ્લા કલેકટરને આવેદન
June 28, 2024 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech