મચ્છરનગર ખાતે ભરાતી બુધવારી બજાર બંધ કરાવવા રહેવાસીઓની માંગ

  • June 22, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વિસ્તારમાં ગંદકી થતી હોવાથી રહેવાસીઓ પરેશાન


મચ્છરનગરના રહેવાસીઓએ બુધવારી બજાર બંધ કરાવવા માટે કમિશ્નરને પત્ર લખી જાણ કરવામાં આવી હતી આ પત્રમાં જણાવ્યું હતું કે વોર્ડ નં .૨ માં આવેલ મચ્છરનગર , અન્નપુર્ણા ચોકમાં ગીચ વિસ્તારમાં દર બુધવારે બજાર ભરાતી હોય છે, આ વિસ્તારમાં બજાર ભરાવવાના કારણે રસ્તો બ્લોક થઇ જાય છે . જેનાથી વાહનો અવર જવર પણ કરી શકતા નથી તેમજ ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે .


બજારમાં ધંધો કરવા આવતા લોકો રેકડીઓ તેમજ પથારા લોકોના ઘરોની બહાર ધરારથી રાખતા હોય છે જેથી મકાન માલિકને બહાર નીકળવામાં ખૂબ પરેશાની રહેતી હોય છે .અને ધંધો કરવા આવતા લોકો સ્થાનિક લોકોને ધમકીઓ પણ આપતા હોય છે.


સ્થાનિક લોકો એવા આક્ષેપો કરી રહ્યા છે કે આ વિસ્તારની બે થી ત્રણ બહેનો દ્વારા હપ્તા પણ ઉઘરાવામાં આવે છે . બુધવારી બજારમાં ધંધો કરવા આવતા લોકો દ્વારા ગંદકી પણ કરવામાં આવતી હોય છે તેથી સ્થાનિક લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યુ છે. માટે આ બુધવારી બજાર તાત્કાલિક ધોરણે બંધ કરાવવા રહેવાસીઓ માંગ કરી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application