મીઠાપુરના પીઆઈ રાજવીની ટૂંક સમયમાં બદલી થતા ગ્રામજનોમાં રોષ

  • September 26, 2024 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગામનાં આગેવાનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપીને રજુઆત


મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ કે.બી.રાજવીની ટુકા સમયમા બદલી થતા ગામમાં રોષ ફાટી નીકળ્યો છે તો બીજી તરફ આ વિસ્તારના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, ડીજીપી પાસે રૂબરૂમા પણ રજૂઆત કરવા ગયેલ હતાં.


મીઠાપુર ગામના દરેક લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે કે પીઆઇ ની સારી કામગીરી હતી અને તેની બદલી થયેલ છે તેને પાછા લય આવવાની જરૂર છે.વિશેષ આમ પ્રજામાં એક ગંભીર વાતો પણ થય રહી છે કે લોકો દ્વારા પીઆઈ કે.બી.રાજવી ને મીઠાપુર પાછા લય આવવાની જે કાંઈ રજુઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલ તેવા લોકોને હાલ કાર્યરત અમુક પોલીસ સ્ટાફ દ્વારા કે અન્ય પોલીસના લોકો દ્વારા ગમે તેમ કરી સમજાવવા અને ભાંગ ફોળ કરાવવા માટેનુ પણ જોરદાર નેટવર્ક ચાલી રહ્યું છે પણ આ ગામમાં દરેક લોકો મક્કમ છે પીઆઇ કે.બી.રાજવીને મીઠાપુર લય આવવામા આગામી દિવસોમાં જલદ આંદોલન પણ થાય તો નવાઈ નહી હોય.મીઠાપુર ગામના આગેવાનો સહિત ગામવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application