ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં ઇજાગ્રસ્ત નીલગાયનું રેસ્ક્યુ કરાયું

  • March 02, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને સલાયા મરીન ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની તળાવ પાસે એક નીલ ગાયનું સફળ રેસ્કયુ કરાયું હતું.
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે આવેલા તળાવ પાસે એક નીલ ગાય ગંભીર હાલતમાં જોવા મળી હતી. જેનું એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને સલાયા મરીન  ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે રેસક્યું કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માટે સંસ્થાના દેશુર ધમા, શિવમ આહીર, ફોરેસ્ટર વી.એસ. લગારીયા અને જી.એલ. ડામોર, વનરક્ષક ડી.એમ. ભરવાડ વિગેરે દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી, આ નીલ ગાયને અહીંની સેવા સંસ્થા અબોલ તીર્થ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application