૮૦ ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગે એક કલાકથી જહેમત બાદ અજગરનો રેસ્ક્યુ કરી સિદસર પાસે પ્રકૃતિના ખોળે મૂકી દીધો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં આવેલા એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો હોવાના અહેવાલ મળતાં જામજોધપુર વન વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ૮૦ ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને અજગરનું રેસક્યુ કરી લીધું હતું, અને પ્રકૃતિના ખોળે મૂકી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં એક ખેડૂતની વાડીમાં આજે બપોર દરમિયાન એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો છે, તેવી માહિતી જામજોધપુર વન વિભાગને મળી હતી. કૂવો ઊંડો ઉતારતી વખતે અજગર તેમાં પડેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી જામજોધપુરના વન વિભાગના વનપાલ વાય. કે. જાડેજા, વનપાલ એમ. કે. કરમુર, વનરક્ષક રમેશભાઈ બડીયાવદરા, તથા વનરક્ષક ભગીરથભાઈ વાઢેર કે જેઓ તાબડતોબ હોથીજીખડબા ગામમાં પહોંચી ગયા હતા. જ્યાં ૮૦ ફુટ ઊંડા કૂવામાં દોરડા અને ટ્રોલી વગેરેની મદદ થી નીચે ઉતરીને એકાદ કલાક ની ભારે જહેમત લઈને કુવામાં પડી ગયેલા અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો હતો.
અંદાજે સાડા પાંચ થી છ ફૂટ લાંબા અને ૧૫ કિલો વજનના અજગર ને એક પ્લાસ્ટિકના કોથળામાં રેસ્ક્યુ કરીને જામજોધપુરના સિદસર વિસ્તારમાં કે જ્યાં પાણી પર્યાપ્ત માત્રામાં હતું, તે સ્થળે પ્રકૃતિના ખોળે છોડી દીધો હતો, અને રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જેથી વાડી માલિક સહિતનાઓએ વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech