જામનગરનાં શહેરીજનોને સુમાહિતગાર કરવામાં આવે છે કે, નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મિલ્કત વેરા તથા તેને સંલગ્ન અન્ય વેરા ભરપાઈ કરવાની કાયદાકિય મુદ્દત તા.૦૧/૦૪/૨૦૨૪ અને તા.૦૧/૧૦/૨૦૨૪ વિતિ ગયેલ છે.ચાલુ નાણાંકિય વર્ષનાં વેરા બિલો એસએમએસ મારફત અને રૂબરૂ દરેક મિલ્કતધારકોને બજાવવી આપવામાં આવેલ છે.
ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન એડવાન્સ ટેક્સ રિબેટ અને ૧૦૦ % વ્યાજમાફી જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે પરંતુ હજુ પણ ૬૦ % થી વધુ મિલ્કતધારકો દ્વારા તેઓનો બાકી વેરો ભરપાઈ કરેલ નથી. વેરા વસુલાત અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોરંટ અને અનુસૂચીની બજવણી હાલ કરવામાં આવી રહેલ છે. વોરંટ અને અનુસૂચી બજવણી બાદ મિલ્કત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મિલ્કત જપ્તીની કાર્યવાહીથી બચવા આપનો બાકી રહેતો મિલ્કત વેરો તથા અન્ય સંલગ્ન વેરા તુરંત જ જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવે છે.તેમ જામનગર મહાનગરપાલિકાના (ટેક્સ) આસિસ્ટન્ટ કમિશ્નરની યાદીમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech