કેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડુ ચૂકવવા મુખ્યમંત્રી અને નાણાંમંત્રીને રજૂઆત

  • July 15, 2024 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડુ ચૂકવવા મુખ્યમંત્રી અને નાણાંમંત્રીને રજૂઆત


ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રના ધોરણે તમામ ભથ્થાઓ સાતમાં પગારપંચ મુજબ આપવાનું ઠરાવેલ છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા વખતોવખત કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ઉપરાંત અન્ય તમામ ભથ્થાઓ રાજય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવે છે.


ગુજરાત સરકાર દ્વારા તા.૧૨/૧૦/૨૨ના ઠરાવથી કેન્દ્રના ધોરણે એચ.આર.એ. આપવાનું ઠરાવેલ છે. આ ઠરાવમાં કેટેગરી વાઈઝ વિવિધ શહેરોને એકસ, વાય અને ઝેડ કેટેગરી મુજબ અનુક્રમે ૨૪%, ૧૬% અને ૮% એચ.આર.એ. ચૂકવવામાં આવે છે. જયારે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીનો દર ૫૦% થયેલ હોય જે ધ્યાને લઈ ૩૦%, ૨૦% અને ૧૦% એચ.આર.એ. ચૂકવવામાં આવે છે.


ઉપરોક્ત બાબતે ગુજરાત સરકાર દ્વારા પણ હાલ કેન્દ્રના ધોરણે ૫૦% મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવતું હોય કેન્દ્રના ધોરણે ૩૦%, ૨૦% અને ૧૦% એચ.આર.એ. ચૂકવવામાં આવે તેવો નિર્ણય કરવા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા દ્વારા પત્રના માધ્યમથી મુખ્યમંત્રીને અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application