નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા વચ્ચે સમાધાનના અહેવાલ

  • March 27, 2023 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સમાધાનની અટકળો અંગે આલિયાના વકીલે આપી પ્રતિક્રિયા
  • નવાઝે પૂર્વ પત્ની અને ભાઇ શમસુદ્દીન સામે 100 કરોડનો દાવો કર્યો



બોલીવૂડના ટેલેન્ટેડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પૂર્વ પત્ની આલિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. જેમાં આલિયાએ તો નવાઝ પર બળાત્કાર સહિતના ગંભીર આરોપ મૂક્યા છે. બીજી તરફ નવાઝુદ્દીને આલિયા અને તેના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

 વિવાદો વચ્ચે એવા સમાચાર છે કે, આલિયા-નવાઝ તેમના ઝઘડાનું સમાધાન કરવા માંગે છે. એવા પણ સમાચાર છે કે સમાધાન બાદ આલિયા ફરી એકવાર નવાઝ પાસે જશે. હવે આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

અહેવાલ મુજબ, નવાઝ દ્વારા કરારના મામલે પહેલું સત્તાવાર પગલું લેવામાં આવ્યું છે. નવાઝે આલિયાને એક ડ્રાફ્ટ મોકલ્યો હતો, જેમાં કેટલીક શરતો હતી કે, આલિયા અને તે આ મામલે સાથે મળીને ચર્ચા કરશે. બંને પોતાના લગ્ન અને વિવાદ વિશે વાત કરશે. નવાઈની વાત એ છે કે નવાઝ હજુ પણ કહી રહ્યો છે કે આલિયા અને તેના છૂટાછેડા થઈ ગયા છે.

 કપલ એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યાં છે. છતાં બંને હવે આ લડાઈનો અંત લાવવા માંગે છે. હવે સવાલ એ છે કે, જો નવાઝે સમાધાન માટે કહ્યું છે, તો શું આલિયા તેની પાસે પાછી જશે? આલિયાના વકીલ રિઝવાને કહ્યું કે...

ના, આલિયા ક્યારેય નવાઝ પાસે નહીં જાય, પરંતુ તે એક પરિપક્વ વ્યક્તિની જેમ તેના બંને બાળકોના ભલા માટે તે ચોક્કસપણે કંઈક સારું કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application