- સમાધાનની અટકળો અંગે આલિયાના વકીલે આપી પ્રતિક્રિયા
- નવાઝે પૂર્વ પત્ની અને ભાઇ શમસુદ્દીન સામે 100 કરોડનો દાવો કર્યો
બોલીવૂડના ટેલેન્ટેડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પૂર્વ પત્ની આલિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. જેમાં આલિયાએ તો નવાઝ પર બળાત્કાર સહિતના ગંભીર આરોપ મૂક્યા છે. બીજી તરફ નવાઝુદ્દીને આલિયા અને તેના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
વિવાદો વચ્ચે એવા સમાચાર છે કે, આલિયા-નવાઝ તેમના ઝઘડાનું સમાધાન કરવા માંગે છે. એવા પણ સમાચાર છે કે સમાધાન બાદ આલિયા ફરી એકવાર નવાઝ પાસે જશે. હવે આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
અહેવાલ મુજબ, નવાઝ દ્વારા કરારના મામલે પહેલું સત્તાવાર પગલું લેવામાં આવ્યું છે. નવાઝે આલિયાને એક ડ્રાફ્ટ મોકલ્યો હતો, જેમાં કેટલીક શરતો હતી કે, આલિયા અને તે આ મામલે સાથે મળીને ચર્ચા કરશે. બંને પોતાના લગ્ન અને વિવાદ વિશે વાત કરશે. નવાઈની વાત એ છે કે નવાઝ હજુ પણ કહી રહ્યો છે કે આલિયા અને તેના છૂટાછેડા થઈ ગયા છે.
કપલ એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યાં છે. છતાં બંને હવે આ લડાઈનો અંત લાવવા માંગે છે. હવે સવાલ એ છે કે, જો નવાઝે સમાધાન માટે કહ્યું છે, તો શું આલિયા તેની પાસે પાછી જશે? આલિયાના વકીલ રિઝવાને કહ્યું કે...
ના, આલિયા ક્યારેય નવાઝ પાસે નહીં જાય, પરંતુ તે એક પરિપક્વ વ્યક્તિની જેમ તેના બંને બાળકોના ભલા માટે તે ચોક્કસપણે કંઈક સારું કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત માટે ૨૦૪૭ સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવું મુશ્કેલ : માર્ટિન વુલ્ફ
July 06, 2024 01:59 PMઓછી આવક ધરાવતા દેશોમાં ૪ ટકાી વધુ નવજાત મૃત્યુનું કારણ આબોહવા પરિવર્તન
July 06, 2024 01:56 PMવિકટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર એકઠો યો ૧૨ મેટ્રિક ટન કચરા
July 06, 2024 01:52 PMસાપે દંશ દીધો, યુવાને સાપને સામા બે બટકા ભરી લીધા, સાપનું મોત
July 06, 2024 01:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech