Cvigil એપ પર આચારસંહિતાના ભંગની કરો ફરિયાદ, માત્ર આટલી મિનીટમાં લેવાશે પગલાં

  • March 16, 2024 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત કરવા માટે Cvigil એપ અપડેટ કરી છે. આ એપની મદદથી આચારસંહિતા ભંગની ફરિયાદ મિનિટોમાં કરી શકાશે અને તેના પર લેવાયેલી કાર્યવાહીની માહિતી 100 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. જો કોઈને લોકસભાની ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો જોવા મળે છે, તો લોકો  મોબાઈલ દ્વારા તેની ફરિયાદ સરળતાથી કરી શકે છે.


આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરવા માટે, ફક્ત મોબાઇલમાં Cvigil એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. જે બાદ તમે આચાર સંહિતા ભંગની ફરિયાદ ફોટો કે વીડિયો દ્વારા ઓનલાઈન કરી શકો છો. આ એપની સૌથી સારી વાત એ છે કે ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને આચારસંહિતાનો ભંગ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધી, યોગ્ય પુરાવાના અભાવે આચારસંહિતા સંબંધિત ફરિયાદ સામે કોઈ કાર્યવાહી થઈ શકતી ન હતી, પરંતુ Cvigil એપ્લિકેશનની મદદથી, હવે કોઈપણ વ્યક્તિ આચારસંહિતા ભંગની ફરિયાદ મિનિટોમાં પુરાવા સાથે કરી શકશે. તેમજ જો આ એપ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો 100 મિનિટની અંદર કાર્યવાહી કરવામાં આવશે.


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઈડ મોબાઈલ પર Cvigil એપનો ઉપયોગ કરી શકાશે. આ એપ પેટાચૂંટણી, વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવા માટે બનાવવામાં આવી છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે ફરિયાદ કરતી વખતે આ એપ ઓટો મોડમાં લોકેશન સિલેક્ટ કરે છે, જેના કારણે ફરિયાદીને આચાર સંહિતા ભંગની જગ્યા વિશે વિગતો આપવાની જરૂર નથી.


જો તમે Cvigil એપ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘનની જાણ કરવા માંગતા હો, તો ફોટો અથવા 2-મિનિટનો વીડિયો બનાવો અને તેનું ટૂંકું વર્ણન તૈયાર કરો. આ પછી, Cvigil એપ ખોલો અને વીડિયો કે ફોટો સાથે કેપ્શન લખો. આ દરમિયાન, લોકેશન મેપિંગ ઓટો મોડમાં કરવામાં આવશે અને તમે સબમિશન ટેપ કરીને ફરિયાદ પોસ્ટ કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application