પ્રખ્યાત સૈદ્ધાંતિક ભૌતિકશાક્રી અને પધ્મશ્રી વિજેતા રોહિણી ગોડબોલેનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે, તેમણે ઐંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. કુદરતના મૂળભૂત બિલ્ડીંગ બ્લોકસની સમજને વિસ્તૃત કરવામાં તેમનું મહાતનું યોગદાન રહ્યું છે. વિજ્ઞાન જગતમાં તેઓ મહિલાઓની સતત હિમાયત કરતા હતા. તેઓ સીઈઆરએન સાથેના તેમના કામ માટે વધુ પ્રખ્યાત હતા કે જે યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુકિલયર રિસર્ચ કે જે વિશ્વના સૌથી મોટા એટમ–સ્મેશર, લાર્જ હેડ્રોન કોલાઈડરનું આયોજન કરે છે તેમની સાથે જોડાયેલા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યકત કરી એકસ પર પોસ્ટ કયુ કે રોહિણી ગોડબોલે એક અગ્રણી વૈજ્ઞાનિક અને સંશોધક હતા, જેઓ વિજ્ઞાનની દુનિયામાં વધુ મહિલાઓના પ્રદાનને સતત આવકારતા હતા. તેમના શૈક્ષણિક પ્રયાસો આવનારી પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે. તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના.
પધ્મશ્રી વિજેતા, ગોડબોલે બેંગલુમાં ઈન્ડિયન ઈન્સ્િટટૂટ ઓફ સાયન્સ ખાતે સેન્ટર ફોર હાઈ એનર્જી ફિઝિકસ સાથે ૨૫ વર્ષથી વધુ સમયથી સંકળાયેલા હતા. ૧૯૫૨ માં પુણેમાં જન્મેલા, ગોડબોલેએ પૂણે યુનિવર્સિટીમાંથી બીએસસી (ભૌતિકશાક્ર) પૂર્ણ કયુ અને પ્રથમ ક્રમ મેળવ્યો. તેણીએ ૧૯૭૪ માં ઇન્ડિયન ઇન્સ્િટટૂટ આફ ટેકનોલોજી–બોમ્બેમાંથી એમએસસી પૂર્ણ કયુ, સંસ્થાનો સિલ્વર મેડલ મેળવ્યો. ગોડબોલેએ ૧૯૭૯માં સ્ટોની બ્રુક યુનિવર્સિટી, ન્યૂયોર્કમાંથી પીએચડી પૂર્ણ કયુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech