રિન્યુએબલ સમિટનું ઉપરાષ્ટ્ર્રપતિ ધનખડની ઉપસ્થિતિમાં સમાપન

  • September 18, 2024 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને ૫૦૦ ગીગા વોટ સુધી પહોંચાડવાનો લયાંક નક્કી કર્યેા છે. જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતને આશરે . ૩૦ લાખ કરોડના રોકાણની જરિયાતને ધ્યાનમા રાખી આર ઈ ઈન્વેસ્ટર્સ સમિટ નુ આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામા આવયુ હતુ. ઉપરાષ્ટ્ર્રપતિ ધનખડની હાજરીમાં સમાપન સમારોહ યોજાયો હતો. કેન્દ્રના નવિનીકરણ ઊર્જા મંત્રાલય દ્રારા આયોજિત સમિટનો પ્રારભં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયો હતો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન સમિટમાં ૪૦થી વધુ સત્રો, ૫ પ્લેનરી ચર્ચાઓ અને ૧૧૫થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ યોજાઈ હતી. આમાં ૧૪૦ દેશોના ૨૫,૦૦૦ પ્રતિનિધિઓ, ૨૦૦થી વધુ વકતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, યારે સહયોગી રાયોની વાત કરવામાં આવે તો, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગઈકાલે મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી પરિષદના બીજા દિવસે ગુજરાત સત્રમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કુલ .૧ લાખ ૭૯ હજાર કરોડની કિંમતના મૂડીરોકાણ માટે ચાર એમઓયુ થયા હતા.
આમા બે એમઓયુ સરકારી કંપનીઓ વચ્ચે અને બે એમઓયુ ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ વચ્ચે છે. અવાડા એનર્જી કંપની અને ગુજરાત પાવર કોર્પેારેશન લિમિટેડ વચ્ચે .૮૫ હજાર કરોડના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ માટે તથા જુનિપર ગ્રીન એનર્જી કંપની અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી વચ્ચે .૩૦ હજાર કરોડનો રિન્યુએબલ એનર્જી પ્રોજેકટ સ્થાપવા માટે એમઓયુ થયો છે. યારે ગુજરાત સ્ટેેટ ઇલેકટિ્રસિટી કોર્પેારેશન–જીસેક તથા ગુજરાત ઊર્જી વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે .૫૯ હજાર કરોડનો તેમજ પાવર ગ્રીડ કોર્પેારેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે .૫ હજાર કરોડનો એમઓયુ થયો છે.મુખ્યમંત્રીએ કચ્છના ૩૭ ગીગાવોટરના હાઇબ્રિડ પાર્ક, રાયમાં સ્થપાઇ રહેલા ૪ સેમિકન્ડકટર પ્રોજેકટ તથા ગુજરાતની રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન અંગેની પોલિસીઓનો ઉલ્લેખ કરી રાયમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા હિતધારકોને અનુરોધ કર્યેા હતો એમણે મિશન ૧૦૦ ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતનું લોન્ચિંગ તથા ગુજરાત એનર્જી વિઝન ૨૦૪૭નું વિમોચન કયુ હતું . આ તબક્કે રિન્યુએબલ એનર્જી વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મુખ્યસચિવ રાજકુમાર વગેરેએ પ્રવચનો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને ૫૦૦ ગીગા વોટ સુધી પહોંચાડવાનો લયાંક નક્કી કર્યેા છે. જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતને આશરે . ૩૦ લાખ કરોડના રોકાણની જરિયાત છે.નેમ વ્યકત કરવામા આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application