રૂટિન વર્ક ઝુંબેશ સ્વરૂપે સપ્તાહમાં એક જ વખત અને રાજમાર્ગો ઉપર જ શા માટે કરો છો ? દબાણકર્તાઓ ઉપર તૂટી પડો
નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ નવો આદેશ જારી કર્યો: દબાણ દૂર કર્યા બાદ ફરી ન થાય તે જોવા તાકિદ : દર સપ્તાહે નિર્ધારિત દિવસે જ દબાણો દૂર કરવાથી દબાણકર્તાઓ એલર્ટ થઇ જાય છે : ફક્ત રાજમાર્ગો જ નહીં આંતરિક રસ્તાઓ કે શેરીઓમાં દબાણો હોય તો તે પણ દૂર કરો
રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત યુવા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ તાજેતરમાં દબાણ હટાવ મામલે નવો આદેશ જારી કર્યો છે કે વન વીક વન રોડ ઝુંબેશ ચલાવી સપ્તાહમાં ફક્ત એક દિવસ દબાણો દૂર કરવાની કામગીરી કરવાના બદલે સમગ્ર મે મહિના દરમિયાન દરરોજ રોજિંદી કામગીરીના ફરજના ભાગરૂપે દબાણો દૂર કરવાની કામગીરી કરવાની રહેશે. દબાણ દૂર કર્યા બાદ ફરી ન થાય તે જોવા કડક તાકિદ કરી છે. દર સપ્તાહે નિર્ધારિત દિવસે જ દબાણો દૂર કરવાની કામગીરીથી દબાણકર્તાઓ એલર્ટ થઇ જાય છે અને એક દિવસ પૂરતું દબાણ દૂર કરી ફરી દબાણ કરે છે. મ્યુનિ.કમિશનરએ ટાઉન પ્લાનિંગ શાખાના સ્ટાફ અને દબાણ હટાવ સ્ટાફને ફક્ત રાજમાર્ગો જ નહીં આંતરિક રસ્તાઓ કે શેરીઓમાં દબાણો હોય તો તે પણ દૂર કરવા સૂચના આપી છે.
દરમિયાન દબાણ હટાવ શાખાના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર દબાણ હટાવ ઝુંબેશ ચલાવીને બાવન રેંકડીઓ-કેબિનો જપ્ત કરવામાં આવી હતી તેમજ અન્ય પરચુરણ ૨૮૫ ચીજ વસ્તુઓ પણ જપ્ત કરાઈ હતી. જ્યારે રાજમાર્ગો ઉપર રેંકડીઓ તેમજ પાથરણા પાથરીને શાકભાજી અને ફળ વેંચતા ફેરિયાઓનું દબાણ દૂર કરી ૧૧૮૨ કિલો શાકભાજી જપ્ત કરાયું હતું. શહેરની બજારોમાં મંજૂરી વિના મંડપ નાખનાર પાસેથી મંડપ, કમાન અને છાજલીના હાજર દંડ પેટે સ્થળ ઉપર જ રૂ.૧,૬૧,૩૦૦ની વસુલાત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત અન્ય વિવિધ વિસ્તારોમાં ફેરિયાઓ પાસેથી રૂ.૫૮,૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે રાજમાર્ગો ઉપર મફત પ્રચાર માટે રોડના સેન્ટ્રલ ડિવાઇડરના લાઇટ પોલ, ટ્રાફિક સર્કલ, ટ્રાફિક આઇલેન્ડ, વીજ થાંભલા, ટ્રી ગાર્ડ વિગેરે ઉપર લગાવેલા કુલ ૧૫૯૯ સાઇન બોર્ડસ અને બેનર્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech