રાજયમા ધાર્મિક દબાણએ ખૂબ સંવેદનશીલ અને જટિલ મુદ્દો છે ભકત સમુદાયની ધાર્મિક લાગણીથી લઈને રાજકારણના દાવપેચ પણ આ મુદ્દાની આજુબાજુ ખેલાય છે સમગ્ર રાજયમા ધાર્મિક સ્થળોની કાયદેસરતા સાબિત કરવા માટે સંચાલકોએ પુરાવા રજૂ કરવા પડશે સ્થાનિક તત્રં દ્રારા આ માટે નોટિસ આપવામાં આવી છે આ બાબતે અધિકારીઓ સાથે મંદિર મસ્જિદ દરગાહ કબ્રસ્તાન સહિતના સ્થળો એ સંચાલકોને પણ બોલાવવામાં આવ્યા છે દેશના જાહેર માર્ગેાની આસપાસ સરકારી જગ્યાઓમાં ધાર્મિક દબાણ વધી રહ્યા છે જે સંબંધે મામલે સુપ્રીમ કોર્ટ દ્રારા આ ધાર્મિક દબાણો સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્રારા તમામ રાજય સરકારના પાસે ધાર્મિક બાબતે કાર્યવાહીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
એક અંદાજ મુજબ રાજયમાં ૨૦૦૦૦ કરતા વધુ ધાર્મિક દબાણ નો મુદ્દો હાલ ચર્ચામાં છે સુપ્રીમ કોર્ટની યાદી મુજબ રાજયના ધાર્મિક દબાણના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે અને પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે તત્રં દ્રારા મળેલી આ નોટિસના પગલે હાલ રાયમાં માહોલ ગરમાયુ છે ધાર્મિક સ્થાનોના સંચાલકો પાસે વર્ષેાથી અહીં ધાર્મિક પ્રવૃત્તિ થતી હોવાના પુરાવા લઈને તત્રં સમક્ષ પહોંચી રહ્યા છે ત્યારે આગામી સમયમાં તત્રં આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
ગુજરાત રાજયમાં અનઅધિકૃત ધાર્મિક દબાણોના વિવાદ વર્ષેાથી ચાલ્યા આવે છે અને અનધિકૃત ધાર્મિક દબાણ દૂર કરવા માટે સરકાર દ્રારા સતત વહીવટી તંત્રને ટકોર કરવામાં આવી રહી છે પરંતુ આ મામલો તત્રં ધર્મ પ્રેમીઓ અને રાજકારણીઓ વચ્ચે અટવાઈ પડે છે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વખતોવખતના આદેશ ગુજરાત સરકારના ગૃહ વિભાગના વર્ષ ૨૦૧૦ ના ઠરાવ મુજબ અનઅધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા માટે આદેશ કરાયા છે આ માટે ૨૨ જુલાઈની મુદત હતી ગૃહ વિભાગ એપ્રિલ ૨૦૨૪ ની ગાઈડલાઈન મુજબ સાત સભ્યોની કમિટીની રચના પણ કરવામાં આવી છે આ સંદર્ભે અવારનવાર બેઠકો બોલાવવામાં આવે છે રાયના મહાનગરોમાં ધાર્મિક દબાણને લઈને વારંવાર હોબાળો મચે છે.
ધાર્મિક દબાણ હટાવવા માટે થઈને ગૃહ વિભાગના આદેશનું પાલન ફરજિયાત છે આગામી સમયમાં રાજયના મહાનગરોમાં આ દબાણ હટાવવા માટે થઈને જવાબદારી સોંપાય છે. સુપ્રીમ કોર્ટના એફિડેવિટ પ્રમાણે જુના ધાર્મિક સ્થળોની કાયદેસરતા તપાસવા માટે મંદિર મસ્જિદ દરગાહ સહિતના સ્થળોના સંચાલકોની બેઠક વહીવટી તત્રં દ્રારા બોલાવવામાં આવી રહી છે આ ધાર્મિક દબાણ અને લઈને વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech