ભારત સરકારે ચીન અને વિયેતનામ જેવા દેશોમાંથી આયાત કરવામાં આવતા સ્ટીલ પર ભારે ટેરિફ લાદવાની યોજના તૈયાર કરી છે. સરકારની આ તૈયારીથી ટાટા સ્ટીલ અને SAIL જેવી સ્થાનિક સ્ટીલ કંપનીઓને ઘણો ફાયદો થઈ શકે છે.
ટેરિફ 30 ટકા સુધી હોય શકે
રોયટર્સે નાણા મંત્રાલયના તાજેતરના આદેશને ટાંકીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ચીન અને વિયેતનામથી આયાત કરવામાં આવતા કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર ટેરિફ લાદવાની તૈયારી કરી છે. સ્ટીલ ઉત્પાદનો પર લાદવામાં આવનાર ટેરિફનો દર 12 ટકાથી વધીને 30 ટકા થશે. ભારત સરકારના આ પગલાથી સંબંધિત સ્ટીલ ઉત્પાદનોની આયાત મોંઘી થશે, જેનો ફાયદો સ્થાનિક સ્ટીલ કંપનીઓને થશે.
આ કારણોસર પગલાં લઈ રહી છે સરકાર
અહેવાલ અનુસાર નાણા મંત્રાલયે સ્થાનિક કંપનીઓ અને સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને સસ્તી આયાતથી બચાવવા માટે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર ટેરિફ લાદવાની યોજના તૈયાર કરી છે. સરકાર જે સ્ટીલ ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદવાની તૈયારી કરી રહી છે તેમાં ચીન અને વિયેતનામથી આવતા સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબનો સમાવેશ થાય છે. આ ટેરિફ આગામી પાંચ વર્ષ માટે લાદવામાં આવનાર છે.
સરકારને ડમ્પિંગની મળી હતી ફરિયાદ
ભારત સરકારને એવી ફરિયાદો મળી હતી કે કેટલાક પ્રતિસ્પર્ધી દેશોના સસ્તા સ્ટીલ ઉત્પાદનો સ્થાનિક બજારમાં ડમ્પ કરવામાં આવી રહ્યા છે, જેણે સ્થાનિક સ્ટીલ કંપનીઓ માટે સમસ્યા ઊભી કરી હતી. ફરિયાદો મળ્યા પછી ભારત સરકારે ડમ્પિંગ કેસોની તપાસ શરૂ કરી. ઓગસ્ટમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. વિયેતનામથી આયાત કરવામાં આવતા કેટલાક સ્ટીલ ઉત્પાદનો તપાસ હેઠળ હતા. હવે વિયેતનામ સહિત ચીનથી આવતી આયાત પર ટેરિફ લાદવાની તૈયારીના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
ચીન સાથે ભારતના વેપાર સંબંધો
ચીન વિશ્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે. ભારત અને ચીન વચ્ચેના વેપાર સંબંધો છેલ્લા કેટલાક સમયથી તંગ છે. સૈન્ય અને સરહદ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર મોટી અસર પડી છે. જોકે તાજેતરમાં જ ભારત સરકારે ચીનની કંપનીઓની કેટલીક FDI દરખાસ્તોને મંજૂરી આપી છે. મંગળવારે જ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારતે ચીન સાથેનો વેપાર બંધ કર્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech