રિલાયન્સ ગૃપના સર્વેસર્વા મુકેશ અંબાણીએ દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

  • March 06, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ દ્વારકામાં રિલાયન્સ ગૃપના સર્વેસર્વા મુકેશભાઈ અંબાણી સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમણે ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. જામનગર ખાતે અનંત અંબાણીની પ્રિ-વેડીંગ સેરીમની અંતર્ગત હાલારના મોંઘા મહેમાન બનેલા મુકેશભાઈએ ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા. આજરોજ અંબાણી પરિવાર દ્વારા જ દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં છપ્પનભોગ મનોરથ પણ યોજવામાં આવ્યો હતો.
જય દ્વારકાધીશ સાથે મીડીયાને સંબોધતા રીયાલન્સના ગૃપના મુકેશ અંબાણીએ જણાવ્યું કે દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડીંગ સેલીબ્રેશન્સ સારી રીતે પતી ગયા. બધાનો સહયોગ રહયો અને મારે વિશેષત: જામનગરવાસીઓને સ્પેશ્યલ થેન્ક્યુ કહેતા મુકેશ અંબાણીએ કહહયુ કે જામનગરવાસીઓના સહયોગથી હવે જામનગર ઇનટરનેશનલ મેપ પર આવી ગયુ છે. અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહિં. અને અનંત અને રાધિકાને તમારા તમારા આશીર્વાદ બદલ હું અને નીતા તેમજ સમસ્ત અંબાણી પરિવાર ખૂબ ખૂબ આભારી છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application