રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાના જુદા–જુદા કામો અને જે–તે સેવાઓ અંગે કચેરીની મુલાકાતે આવતા અરજદારોની રજૂઆત કે ફરિયાદનો વ્યવસ્થિતઢબે સત્વરે નિકાલ થાય તે માટે આવતીકાલ તા.૧૬ને ગુવારથી વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ)નો પ્રારભં કરવાનો નિર્ણય કર્યેા છે.
સામાન્યરીતે એવું બનતું રહે છે કે, કોઇ અરજદાર કમિશનરની મુલાકાતે આવે અને રજૂઆત કરે ત્યારે જ કમિશનરને જે–તે મુદ્દા વિશે માહિતી મળતી હોય છે. આ પ્રણાલીમાં હવે એવો ફેરફાર થવા જઈ રહ્યો છે કે, અરજદાર વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમમાં પોતાની વિગતોનું રજિસ્ટ્રેશન કરાવે અને કમિશનરને બ મળે એ પહેલા જ કમિશનર પણ જે–તે ઇસ્યુ વિશે અગાઉથી જ વાકેફ થઇ શકશે અને અરજદારને યોગ્ય પ્રત્યુતર આપી શકશે.
વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ વિશે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, દર સોમવાર અને ગુવારે સાંજે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમ્યાન કમિશનરની મુલાકાતે આવતા અરજદારોએ કમિશનર બ્રાંચમાં શ કરાયેલ વિઝિટર્સ ડેસ્ક ખાતે પોતાના મોબાઈલ નંબર અને ઓળખ કાર્ડ સાથે પોતાની રજૂઆતની વિગતો નોંધાવાની રહેશે. કમિશનરએ અપનાવેલી આ નવી પહેલની વિશેષતા એ છે કે, વિઝિટર્સ ડેસ્ક ખાતે નોંધાયેલી વિગતો એ જ સમયે જે–તે સંબંધિત શાખાના અધિકારીને પહોંચી જશે અને અધિકારી તેમાં પોતાના ફીડબેક સબમિટ કરશે. અરજદાર સાથેની મુલાકાત પહેલા જ કમિશનરશ્રી આ તમામ વિગતોથી વાકેફ થઇ શકશે અને અરજદાર જયારે બ મળે ત્યારે કમિશનર તેઓને યોગ્ય પ્રત્યુતર આપી શકશે.
વધુમાં મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, ફરિયાદી દ્રારા રજુ થતા પ્રશ્નને અલગ–અલગ પાંચ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવશે અને ફરિયાદના નિકાલ માટેની સમયમર્યાદા પણ નિર્ધારિત કરાવામાં આવશે.
કમિશનરએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, એકને એક ફરિયાદ કેટલીવાર આવે છે તેનું પણ મોનિટરિંગ થઇ શકશે તેમજ ફરિયાદનું હકારાત્મક કે નકારાત્મક નિરાકરણ ન થાય ત્યાં સુધી તેનું સતત ફોલોઅપ પણ કરવામાં આવશે. તેના આધારે ફરિયાદ નિકાલની કામગીરીમાં વહીવટી સરળતા રહેશે. વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ માટે ડેશબોર્ડ અને એક એપ્લીકેશન પણ બનાવવામાં આવેલ છે. આ નવી પ્રણાલી માટે એક નોડલ અધિકારીની પણ નિયુકિત કરવામાં આવશે.
દરમ્યાન વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ અંગે આજે તા.૧૫–૦૧–૨૦૨૫ના રોજ સવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને તમામ શાખાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં તેમણે તમામ અધિકારીઓને વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરશે તેના વિશે પ્રેઝેન્ટેશન સાથે વિસ્તૃત માહિતી આપી હતી. આ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશનરની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ મહેશ જાની, ચેતન નંદાણી અને હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech